Bhavnagar

કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાના પિતા દેવાભાઈનું નિધન

Published

on

કુવાડિયા

  • દેવાભાઈએ 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, મોઢવાડા ખાતેના નિવસ્થાનેથી અંતિમયાત્રા નીકળી : કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોરબંદર પહોંચ્યા, સદ્‌ગતની અંતિમ યાત્રા આજે બપોરે મોઢવાડામાં તેમની વાડીએથી નીકળી

ગુજરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયાના પિતાશ્રી દેવાભાઇ મોઢવાડીયાનું ૯૬ વર્ષની ઉંમરે અવસાન થયેલ છે. સદ્‌ગતની સ્‍મશાનયાત્રા આજે તા.૧ર સોમવારે બપોરે ૩ કલાકે તેમની મોઢવાડા ખાતે આવેલી વાડીએથી નીકળી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું નિધન થયું છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈએ 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી પોરબંદર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે.આજે બપોરે 3 કલાકે મોઢવાડા ખાતેના નિવાસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વિજેતા બન્યા હતા. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હાર આપી હતી. તેમના પિતાના અવસાનના સમાચાર મળતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોરબંદર પોહચ્યા હતા

Exit mobile version