Sihor
સિહોર નગરપાલિકાના વાલમેન કર્મીએ દિવ્યાંગને બેફામ ગાંળો ભાંડી ધમકી આપી કે મારૂ કઈ નહિ બગાડી શકો
પવાર
વાલમેનના અમાનવીય કૃત્ય સામે ભભૂકતો રોષ, વોર્ડ 4 વિસ્તારમાં પાણી સપ્લાયનો વારો હતો દિવ્યાંગની માત્ર રજુઆત એટલી હતી કે પાણી ધીમા પ્રેસરથી આવે છે થોડો સમય વધુ આપજો, આ વાત પર વાલમેનને માઠું લાગ્યું અને દિવ્યાંગ મનસુખભાઇની ઑફિસે જઈને કાનમાંથી કીડા ખરે એવી ગાળો આપી, સમગ્ર મામલે ભારે ચકચાર, વોર્ડ 4 માં ભારે રોષ
ચોમાસુ પુરું થયું શિયાળોનો પ્રારંભ થયો ત્યાં સિહોરમાં પાણીનો કકળાટ શરૂ થયો છે જેની વચ્ચે પાણી સપ્લાય કરતા વાલમેન જોરૂ નામના કર્મીએ એક દિવ્યાંગ વ્યક્તિને બેફામ ગાળો ભાંડીને ધમકીના મામલે ભારે ચકચાર મચી છે સિહોરના અનેક વોર્ડ વિસ્તારોમાં પાણી ધીમા પ્રેસરથી સપ્લાય થાય છે જેના કારણે લોકોને પૂરતું પાણી મળતું નથી બીજું બાજુ પાણી સપ્લાયનો પણ કોઈ સમય નક્કી હોતો નથી શનિવારના દિવસે વોર્ડ નં 4 વિસ્તારમાં પાણી સપ્લાયનો વારો હતો આ દરમિયાન પાણી ધીમી ગતિએ સપ્લાય થતું હતું વોર્ડ 4 માં રહેતા મનસુખભાઇ નામના દિવ્યાંગ વ્યક્તિએ પાણી સપ્લાયના વાલમેન જોર પરમારને જણાવ્યું કે પાણી ધીમું આવે છે જેથી દસેક મિનિટ વધુ પાણી સપ્લાય થાય અમારે વાપરવા માટેનો પૂરો જથ્થો થઈ શકે આ વાત વાલમેન જોરૂ પરમારને માઠું લગાડી ગઈ અને દિવ્યાંગ મનસુખભાઇની ઑફિસે જઈ બેફામ ગાળો આપી ધમકના સ્વરૂપમાં કહ્યું કે તમે મારૂં કઈ નહિ બગાડી શકો એ ઘટનાને લઈ વોર્ડ નં 4 વિસ્તારમાં ભારે રોષની લાગણી વ્યાપી છે ત્યારે વોર્ડ નં 4 માં ભારે રોષની લાગણી જન્મી છે
પ્રજા સાથે ફાવે તેવો વ્યવહાર કરવાનો પરવાનો મળી ગયો છે.
મનસુખભાઇ સાથે બન્યુ તે કઈ પ્રથમ ઘટના નથી પરંતુ સામાન્ય માણસ જ્યારે પણ પોતાનું કામ લઈ કોઈ પણ સરકારી ઓફિસમાં જાય છે ત્યારે ત્યાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ સામાન્ય માણસ સાથે સારી રીતે વાત પણ કરતા નથી, સરકારી કચેરીમાં આવનાર જો કોટ પેન્ટમાં હોય તો કદાચ તેને સારો જવાબ મળે પણ જો કોઈ મેલાઘેલા કપડામાં હોય તો જાણે તે ભીખ માંગવા આવ્યો તેવો જ વ્યવહાર થાય છે. સરકારી કોઈ પણ કચેરીમાં આવા અનુભવો થાય છે, ત્યાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ માને છે કે તેઓ રાજ્યના વડા છે અને તેમની પાસે સરકારી નોકરી હોવાને કારણે પ્રજા સાથે ફાવે તેવો વ્યવહાર કરવાનો પરવાનો મળી ગયો છે.
વાલમેન તો ધારાસભ્યના પુત્ર દિવ્યેશનું પણ માનતા નથી
ધારાસભ્યના પુત્ર દિવ્યેશ સોલંકીએ થોડા દિવસો પહેલા સિહોરના અલગ અલગ વિસ્તારોમાં લોકપ્રશ્નો સાંભળી ઉકેલ તરફની દિશામાં પ્રયાસો કર્યા હતા આ લોકપ્રશ્ન દરમિયાન વોર્ડ 4 વિસ્તારમાં પણ પાણીના પ્રશ્ન બાબતે રજુઆત થઈ હતી ત્યારે પણ ધારાસભ્યના પુત્ર દિવ્યેશ સોલંકીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે જ્યાં સુધી લોકોના ઘરોમાં પૂરતું પાણી ભરાઈ નહિ ત્યાં સુધી સપ્લાય બંધ ન કરવી અહીં લાગે છે કે વાલમેન ધારાસભ્યના પુત્રનું પણ નહીં માની વિસ્તારના લોકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે
10 મિનિટ પાણી વધુ આપવાનું કહ્યું અને બીભત્સ ગાળો આપી
મેં વાલમેનને ૧૦ મિનિટ વધુ પાણીનું કહેતા ઉશ્કેરાટ થી બોલ્યો પાણી ટાંકો મંગાવી લ્યો..અને મારી ઓફિસે આવી ધમકી,બીભત્સ ગાળો આપી અને તારે જેને કેહવું હોય તેને કહેજે હું બીતો નથી મારું કોઈ બગાડી નહિ શકે અને મારી પરિસ્થતિ એવી નથી કે અમે પાણી ટાંકા મંગાવી શકીએ અમો બન્ને માણસો (૮૦ ટકા)દિવ્યાંગ છીએ. અને ધમકી આપતા અમે ગભરાઈ આ વિસ્તાર ના નગરસેવકો ને જાણ કરી હતી તેમજ ચીફ ઓફીસર ને પણ વાત કરવા માં આવી હતી તંત્ર દ્વારા કોઈ પગલાં નથી ભરાયા
– દિવ્યાંગ મનસુખભાઇ
ઘટના ખૂબ દુઃખદ છે ; જીલ્લા ભાજપ સુધી રજૂઆત કરીશ
આ વિસ્તારમાંથી નિયમિત વેરો ભરાય છે. છેલ્લા કેટલા સમયથી ઓછા પ્રેશર થી પાણી ફરિયાદ ઉઠી છે.તે સત્ય છે જ્યારે ભાવનગર ગ્રામ્ય ના ધારાસભ્ય પ્રતિનિધિ દિવ્યેશ સોલંકીને પણ મનસુખભાઇ એ જણાવેલ કે દિવ્યાંગ છીએ અને આ વિસ્તાર માં સ્લો પ્રેશર ને લઈ પૂરતું પાણી નથી મળતું તેઓ ફરિયાદ ને ધ્યાને લઇ આ વિસ્તાર ના નગરસેવક અને ટી.પી ચેરમેન અલ્પેશ ત્રિવેદીને આ વિસ્તારમાં પૂરતું અને અડધી કલાક વધુ પાણી મળવું જોઈએ પરંતું કહેવાતા માથાભારે વાલમેન ધ્વારા ભોગગ્રસ્ત એવા મનસુખભાઇ સાથે જે ઘટના ઘટી તે દુઃખજ છે તે બાબતે હું જિલ્લા ભાજપ સુધી રજુઆત કરીશ
– નિલેશભાઈ શુક્લ ; ભાજપ આગેવાન
તમારા ખર્ચે ટાંકા મંગાવી લ્યો આવા જવાબો મળે છે
પાણીને લઈ વારવાર રજૂઆત કરીએ છે અમારા પશુધન પાણી તરસ્યા રહે છે .ત્યારે પાણી વધુ આપવાનું કહીએ તો તમારા ખર્ચે ટાકો મંગાવી લેવો અને સમાજ ને આગળ મૂકી ધમકી ની ભાષા માં વાત કરતા ના છૂટકે આ અન્યાય સામે અમો સાથે ઝુંબેશ ઉઠાવી છે. આવા કર્મીઓની તાત્કાલિક બદલી કરવી જોઈએ
– કાળુભાઇ મેર
વેરાઓ સમયસર ભરવાના છતાં હાડમારીના પાર નથી
વધુ વેરો આ વિસ્તારમાંથી ભરાય છે. પાણી સુવિધા ઓ નથી અનેક વખત રજૂઆત કરતા આજ સુધી કોઈ પાણી પ્રશ્ન નો ઉકેલ નથી આવ્યો લાખો,અને કરોડો રૂપિયા ફિલ્ટર પ્લાન્ટ માં નાખ્યા પણ નિષ્ફળતા જોવા મળી પરંતુ સતાધીશો કેમ ચૂપ છે તેઓ ને વહીવટી કામ કરવાને બદલે વહીવટ માં રસ હોય તેવું લોકચર્ચા ચર્ચાઈ રહ્યું છે ઉચ્ચ સ્તરેતપાસ ની માંગ કરી છે.
– હાર્દિક દોમડિયા ; સ્થાનિક
અંધેરી નગરી ને ગડું રાજા જેવી સ્થિતિ
અંધેરી નગરી ને ગડું રાજા જેવી હાલત આ શહેરની છે.ગેરવહીવટ ,ભ્રષ્ટાચાર ફૂલ્યે ફાલ્યો છે.અને વહીવટી કામ ને બદલે વહીવટ માં રસ હોય ત્યારે કર્મચારીઓ પણ સતાધીશો ના અંકુશ માં નથી કારણકે અમુક કર્મચારીઓ ટકાવારી માં રસ હોય તેવું લાગે છે.
– જીતુ ઉપાધ્યાય – સ્થાનિક
આ ઘટનાની જાણ ચીફઓફિસરને પણ કરી છે : આવા કર્મીઓ સામે આંદોલન કરીશું
હીટલર શાહી શાસન કર્મચારીઓ બેફામ થયા છે જ્યારે આ વિસ્તાર માં સારી વ્યક્તિ અને ફરજ નિષ્ઠ જગદીશભાઈ ને અન્ય સ્થળે બદલી કરી ત્યારે સ્થાનિક ભાજપ ના નગરસેવકો ને ખબર નથી રહી. પરંતુ આવા કહેવાતા લે ભાગુ અને સ્થાનિકો સાથે બેફામ બનેલ કર્મચારી વિરૂદ્ધ અનેક ફરિયાદો ઉઠી છે તેમ છતાં આ વિસ્તાર ના ભાજપ નગરસેવકો કેમ ચૂપ છે.. આ ઘટના ની જાણ ચીફ ઓફિસર ને કરવા છતાં આજ સુધી કેમ કાર્યવાહી કરવામાં નથી આવી ..અમુક કહેવાતા માથાભારે કર્મચારીઓ ની બદલી કરવા માંગ ઉઠી છે નહિતર ઉગ્ર આંદોલન કરીશું
– મુકેશ જાની ; નગરસેવક
આ ઘટના ખૂબ દુઃખદ છે
એક દિવ્યાંગ પરિવાર સાથે અભદ્ર વર્તન તે ખૂબ દુઃખ દાયક કહેવાય અને ભાજપ સરકાર મોટી વાત કરે છે દિવ્યાંગ ને પ્રથમ પ્રયોરીટી ની વાત કરે છે તો આ દિવ્યાંગ ની હાલત જોતા તેઓ ડરી ગયા છે. અને પરિવાર ગભરાઈ ગયો છે અને ઓફિસ બંધ કરી જતો રહેવાની વાત ને લઈ રડી પડ્યા હતા..આ આંસુ થી આ સ્થાનિકો પ્રોત્સાહન માટે દોડી ગયા હતા અમે તમારી સાથે છીએ .જે સાબિત કરી દીધું છે.અન્યાય સામે લડીશું…
– વિપુલ ત્રિવેદી સ્થાનિક
કહેવાતા માથાભારે કર્મચારીના કારણે અન્ય લોકોને સહન કરવુ પડે છે
આ કહેવતો માથે ભારે કર્મચારી પોતે સમાજ ને આગળ મૂકી અને ધમકી થી વાત કરતો હોય છે અને પાણી પ્રશ્ન સ્લો પ્રેશર હોય આવે એટલે ફરિયાદ કરીએ એટલે ઝગડો કરે સ્લો પ્રેશર હોય ઇલે .મોટર મુકવા છતાં પાણી નથી આવતું અને પાણી પ્રેશર વધારવાનું કહીએ તો તમારા ખર્ચે ટાંકા મંગાવી લેવાય તો આવી વ્યક્તિ ને કાયમી નોકરી માટે છૂટા કરી દેવા જોઈએ અને સારા કર્મચારીઓ ને બદનામી સહન કરવી પડે છે
– સાગર મેર – સ્થાનિક
આ કર્મચારી વારંવાર કહે છે મારું કોઈ નહિ બગાડી લે
આ વિસ્તાર માં પાણી પ્રશ્ન કાયમી છે.અને આ વિસ્તાર માં પૂર્વ વોટર ચેરમેન રહી ચુકેલ અને હાલ ટી.પી ચેરમેન અલ્પેશ ત્રિવેદી માત્ર કાગળ ઉપર જ કામો કરે છે .અરે મારા ઘર ની પાસેજ પાણી લાઈન બેડ મારી ગઈ છે અને તેના આધાર પુરાવા મારી પાસે છે. નગરસેવકો ને પણ ફરિયાદ કરી છે છતાં નથી કરી શક્યા .અને ભાજપ ના નગરસેવકો ના ઘરે ત્રીજા માળ સુધી પૂરતું પાણી પહોંચે છે અને વેડફાય પણ છે ત્યાં કેમ કર્મચારી ચૂપ છે.?? આ કર્મચારી વિરૂદ્ધ અનેક ફરિયાદો ઉઠી છે અને આ કર્મચારી તેના વોર્ડ માં જ બેફામ પાણી વેડફાય છે તો તેઓ ને ખબર જ છે અને બીજા વોર્ડ માં દાદાગીરી કરે છે અને કહે છે.પ્રમુખ અને બીજા નગરસેવકો અમારી સમાજ ના છે કોઈ અમારું કંઈ બગાડી નહિ શકે જેઓ ને થાય તે કરી લેવાની ધમકી એક દિવ્યાંગ પરિવાર ને આપી છે.પરંતુ અન્ય સમાજ ને ધમકી આપે તો ખબર પડે શું થાય.??? આ કર્મચારી એક નગરપાલિકા નો દાડીયો છે. નહિ કે પોતાની બાપદાદા ની પેઢી.. આ વોર્ડ ના તમામ સ્થાનિકો મનસુખભાઇ ની સાથે જ છીએ અને કર્મચારી વિરૂદ્ધ પગલાં કે સસ્પેન્ડ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું
– અશોક ઢીલા ; સ્થાનિક