Bhavnagar

ઘોઘાના ચણીયાળા ગામના 11 વર્ષના બાળકને સારવાર ; પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકનું વિનામૂલ્યે થયું હૃદયરોગનું ઓપરેશન

Published

on

દેવરાજ

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ચણીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 11 વર્ષના પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. ત્યારે બાળકના કાકા અને પરિવારજનો ચિંતાતુર થઈ ગયા પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ચણીયાળા ગામના બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છેTreatment of an 11-year-old child of Chaniyala village in Ghogha; A child who has lost his father's umbrella has undergone a free heart surgery

હૃદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે. ઘોઘા તાલુકાના ચણીયાળા ગામે રહેતો 11 વર્ષનો અનિલ કિશોરભાઇ વાઢેલ નામના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકને હૃદયરોગ જણાયો હતો. આથી તુરંત જ ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યું હતું.
આથી યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે અનિલનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ, વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકના પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીપ્રસાદ કુમાર, આર.સી.એચ.ઓ. ડો. કોકિલાબેન સોલંકી વિ.નો સહયોગ મળ્યો હતો.

Exit mobile version