Sihor

આ વખતે પરિવર્તનનો પવન ફુંકાશે જ ; જયદીપસિંહ ગોહિલ

Published

on

બ્રિજેશ

  • સિહોર કોંગ્રેસ ડોર ટું ડોર પ્રચારના લાગ્યું ; સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લાના પ્રવક્તા જયદીપસિંહે કહયુ મોંઘવારીથી પ્રજાના હાલ બેહાલ, ભાજપ પ્રજાને મુર્ખ બનાવે છે

સિહોર શહેરના અનેક મતવિસ્‍તારમાં સમસ્‍યાઓના ઢગલા છે ત્‍યારે આ વખતે લોકોને રેવતસિંહ ગોહિલમાં એક સાચા લોકસેવકના દર્શન થઇ રહયા છે અને પ્રજામાં આશાનો નવો સંચાર થયો હોવાનું સિહોર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લાના પ્રવક્તા જયદીપસિંહે કહયુ હતું સિહોર કોંગ્રેસ હાલ દરેક વોર્ડ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર અર્થે કામે લાગી છે, ઘર ઘર સુધી ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસ દ્વારા શરૂ કર્યો છે આ અંગે જયદીપસિંહે કહ્યું કે અત્‍યારે પ્રજા જે સમસ્‍યાઓનો સામનો કરી રહી છે

This time the wind of change will blow; Jaideep Singh Gohil

તે મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી અને અસલામતી એ ભાજપ સરકારની દેન હોવાનું જણાવ્‍યુ હતું. છેલ્‍લા ૨૭ વર્ષના શાસનમાં ભ્રષ્‍ટાચારે માઝા મૂકી છે. પ્રજાના હાલ બેહાલ થયા છે અને ભાજપના નેતાઓ ખોખલા વિકાસના નામે પ્રજાને મૂર્ખ બનાવી રહયા છે. તેમણે કહયુ કે, કાળજાળ મોંઘવારીને લીધે સામાન્‍ય પ્રજાના બે છેડા ભેગા થવા મુશ્‍કેલ થઇ ગયા છે અને આવા સમયે ભાજપના નેતા બુલેટ ટ્રેન અને સી પ્‍લેન ચલાવવાની વાતો કરી છે. ભાજપ સરકારે રેશન, કેરોસીન અને રાંધણ ગેસનો બાટલો મોંઘો કરી નાખ્‍યો છે.

This time the wind of change will blow; Jaideep Singh Gohil

પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને ગયા છે અને ચૂંટણી પુરી થતાની સાથે જ ફરી તેમાં ભાવ વધારો કરવામાં આવશે તે પણ નકકી છે. આવી છાસવારે કમર તોડ ભાવ વધારો આપીને પ્રજાની કેડ ભાંગી નાખી છે.ભાજપના પાપે ગુજરાતમાં અને સારવાર પણ મોંઘા થયા છે. સરકારી નોકરીની પરીક્ષાના પેપર ફૂટયા છે રસોડા મોંઘા થયા છે. રોડ રસ્‍તાના કામોમાં બેફામ ભ્રષ્‍ટાચાર થયા છે આવી સ્‍થિતિમાં ગરીબ અને મધ્‍યમ વર્ગનું જીવન ડામાડોળ થઇ ગયુ છે. ત્‍યારે વિકાસના નામે મત માગવા નીકળેલા ભાજપના નેતાઓને સર્વત્ર જાકારો મળી રહયો હોવાનું જણાવ્યું હતું

Exit mobile version