Bhavnagar

ભાવનગર જિલ્લાની બેઠકોમાં ભાજપના ગઢ તૂટી પડવાના – જયદીપસિંહ

Published

on

પવાર

  • ભાજપથી મતદારો – કાર્યકરો નારાજ, નેતાઓમાં તીવ્ર મતભેદઃ કોંગ્રેસ સંપીને લડી અને ભવિષ્‍યમાં પણ કોંગી નેતા ટીમ બનાવીને ભાજપને ઉઘાડો પાડશે : જયદીપસિંહ ગોહિલ

સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા જયદીપસિંહ એ સૌ કોંગ્રેસ પરિવાર મતદારો નું અને મતદાન ની પ્રક્રિયા મા સંકળાયેલા તમામ અધિકારીઓ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને તમામ પ્રેસ મીડિયા ના જાગૃત પત્રકારો અને ટીમનો આભાર માન્‍યો હતો વિશેષમાં જણાવ્‍યું હતું કે સૌ નો સહયોગ અને ઉત્‍સાહ વિશેષ રહ્યો એટલું જ નહીં કોંગ્રેસને પણ સાંપડયો એ બદલ પુનઃ સર્વેને આભાર માન્‍યો હતો. તેમણે કહ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે જુનુ એ સોનુ’ એ વાત હવે લોકોને પણ સમજાઈ ગયું છે.

દેશનું ઉત્થાનનુ કાર્ય કોંગ્રેસે જ કર્યુ છે અને તે જ કરી શકે તે લોકો સમજી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ નેતાઓએ એકજૂથ થઈને જંગ લડયો હતો. હવે સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજુથ થઈ આવનાર દરેક ચૂંટણીઓમાં પ્રજાનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરશે તેવું જયદીપસિંહે એ જણાવ્‍યું હતું. વડાપ્રધાન મોદી ની સભામા પાંખી હાજરી દર્શાવે છે કે લોકોને ભાજપ પર ભરોસો રહ્યો નથી વધુમાં કહ્યું કે વિશેષમાં આપ બધા અને મતદારભાઈઓ બહેનોનો અમો કોંગ્રેસ પરિવાર વતી આભાર વ્‍યક્‍ત કર્યો હતો

Exit mobile version