Sihor

સિહોરનો શિક્ષક પરિવાર મકાનને તાળું મારી ઢસા ગામે ગયો અને તસ્કરો ત્રાટકયા

Published

on

Pvar

નિવૃત્ત શિક્ષકના મકાનમાં તસ્કરનો હાથફેરો

સિહોર શહેરમાં રહેતા નિવૃત્ત શિક્ષકના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોરના ગૌતમેશ્વરનગરમાં રહેતા અને એલ.ડી. મુની હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક ગુણવંતભાઈ મધુસુદનભાઈ રાજ્યગુરૂ તેમના પરિવાર સાથે મકાનને તાળું મારી ઢસા ગામે ગયા હતા.

The teaching family of Sihore locked the house and went to Dhasa village and the traffickers were strucksi

ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવી મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કર્યાની રાવ સાથે પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરીના બનાવ અંગે સિહોર પોલીસે લેખિત અરજી લઈ તપાસ આદરી છે.

Advertisement

Exit mobile version