Bhavnagar
ભાવનગરના ડમીકાંડ અને તોડકાંડ અને લઈને આરોપીઓના બેન્ક ખાતાઓ સંયોગીક પુરાવાઓના ભાગરૂપે ચેક કરાયા
બરફવાળા
પોલીસ મૂળસુધી નક્કર તપાસ કરે તેવી હજારોને આશા તળાજા બી.આર.સી ભવનના કોમ્પ્યુટર અને SBI બેંકમાંથી વિગતો મેળવી : તળાજા ના વધુ ત્રણને પૂછપરછ માટે પોલીસ લઈ ગઈ
ડમીકાંડ બાદ તોડકાંડનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો.સીટની ટીમ હજુ વધુ ને વધુ ભેજાબાજને જે ડમી કાંડ મા સામેલ છે તેને પકડી રહી છે.એક પછી એક નામો સામે આવી થાય રહ્યા છે.જેમાં તળાજા એક રેશનીગની દુકાનમાં કામ કરતા યુવકની સત્તાવાર ધરપકડ કરી છે.બીજી તરફ ડમીકાંડ અને તોડકાંડના સાયોગીક પુરાવાઓ એકઠા કરવા લાગી છે.જેથી આરોપીઓ ફરતે કાનૂની ગાળ્યો વધુ મજબૂત બને. જેને લઇ આજે તળાજા બી.આર.સી ભવન મા મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રકાશ દવે ઉર્ફે પી.કે ને લઈ બી.આર.સી ભવન ના કોમ્પ્યુટર ચેક કરવા માટે પોલીસ લઈ આવી હતી. સૂત્રો એ જણાવ્યું હતું કે એકાદ કલાક સુધી કોમ્પ્યુટરની ચકાસણી ચાલી હતી. બાદ અહીં ની એસબીઆઇ બેન્ક ખાતે સીટ ની ટીમ દ્વારા બેન્કિગ વ્યવહાર કોની સાથે ક્યારે કેટલા રૂપિયા નો કરવામાં આવ્યો છે.કેટલા ખાતા છે અને કંઈ કંઈ બેંકોમાં છે તેની આશરે બે કલાક જેટલી તપાસ કરી ને જરૂરી પુરાવાઓ મેળવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તમામ આરોપીઓ વિરુદ્ધ સંયોગીક પુરાવા એકઠા કરવાનો પણ કામ ચાલી રહ્યું છે. બીજી તરફ પોલીસે ગઈકાલે લઈ જવાયેલા રિયાઝ કાદરભાઈ કાલાવડીયા જે તળાજામા રેશનીંગની દુકાનમાં વ્યવસાય કરે છે તેની સત્તાવાર ધરપકડ દેખાડી છે અને રિમાન્ડ માટેની કાર્યવાહી કરી છે.
એ ઉપરાંત આજ સવારથી જ તળાજાના ત્રણ યુવાનોને પણ પૂછપરછ માટે પોલીસ લઈ ગયેલી છે તે વાત મુખ્ય ચર્ચા સ્થાને હતી.એ બાબતે તપાસ નિશ એજન્સી એ કોની ભૂમિકા શું છે તે નક્કી થયા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.
તળાજા પંથક માટે ડમીકાંડ નવું નથી.૨૦૦૪ની સાલથી ચાલ્યું આવે છે.એ પછી પણ અનેક ફર્જી કાંડ સામે આવ્યા જે પોલીસ દફતરે પણ નોંધાયા છે.તેના હજુ કોર્ટમાં કેસ ચાલે છે.૧૯ વર્ષ વિતી ગયા.પરંતુ હાલ જે પોલીસ દ્વારા એક પછી એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે તે જોતાં હજારો યુવાનોને આશા છેકે પોલીસ ઘટનાના મૂળ સુધી જઇને નક્કર તપાસ કરે. જેથી ભૂતકાળની જેમ આ કેસ કાયદાની આંટી ઘૂંટીમા વર્ષો સુધી કોર્ટમાં ચાલ્યા ન કરે.