Sihor
સિહોર ; “ઉમંગ કાવ્ય સંગ્રહ” નામના પુસ્તકનું સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના હસ્તે વિમોચન થયું
કુવાડિયા
સિહોર એલડીમુની હાઈસ્કૂલના સાયન્સ હોલ ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રષ્ટ અને કવિ લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ “ઉમંગ કાવ્ય સંગ્રહ” પુસ્તકનું વિમોચન થયું, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, વિશાલભાઈ ભાદાણી અને ડૉ શ્રીકાંત દેસાઈ, પ્રશાંત આસ્તિક, ભરતસિંહ ગોહિલ, મિલન કુવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા
સિહોર એલડીમુની હાઈસ્કૂલના સાયન્સ હોલ ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રષ્ટ અને કવિ લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ “ઉમંગ કાવ્ય સંગ્રહ” પુસ્તકનું પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના હસ્તે પુસ્તક વિમોચન થયું હતું જેમાં ખાસ વિશાલભાઈ ભાદાણી અને ડૉ શ્રીકાંત દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન સિહોર એજ્યુકેશન સોસાયટી અને યુવા યુગ પરિવર્તનનાં યજમાન પદે સાયન્સ હોલ ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલા “ઉમંગ કાવ્ય સંગ્રહ” પુસ્તક સ્વરૂપાનંદ સરસ્વતી, વિશાલભાઈ ભાદાણી, અને ડૉ શ્રીકાંત દેસાઈ, પ્રશાંતભાઈ આસ્તિકના હસ્તે વરદ હસ્તે પુસ્તક વિમોચન કરાયું હતું પુસ્તકનાં લેખક લાભુભાઈ સોનાણીએ પોતાની લેખનયાત્રા વિષે જણાવતા કહ્યું હતું કે મારું કાર્ય ચંદ્રનાં ઉછીતા પ્રકાશ જેવું છે સાચા કર્મનિષ્ઠ આપ સૌ છો, આપનું પ્રતિબિંબ મારો ઉજાસ છે.


આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી પ્રસિદ્ધ સિહોર ગૌતમેંશ્વર મંદિરમાં મહંત સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સંસ્થાની પ્રવૃતિઓ અને લાભુભાઈના વ્યક્તિત્વની ઓળખ આપીને બિરદાવી હતી અને કાર્યક્રમમાં સહભાગી બનવાની ખુશી વ્યક્તિ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પ્રકાશન અને વિમોચન સમિતીએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ અહીં સંગીત સંધ્યા કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને મિલન કુવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા