Sihor
સિહોરના ધ્રુપકા પ્રાથમિક શાળામાં કાવ્ય પઠન મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું
દેવરાજ
શિક્ષણ એટલે બાળકમાં રહેલ આંતરિક શક્તિઓને જગાવવી અને બહાર કાઢવી. સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં આવાજ પ્રયત્નો થતા રહે છે જેનાથી બાળકોની શક્તિઓ ખીલી ઊઠે. જે અંતર્ગત શનિવારે શાળામાં સામાયિક ટેસ્ટના હોવાથી પ્રાર્થના સભામાં કાવ્ય પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને એમ જ લાગે કે ફક્ત કવિતાને ગાઈ શકાય છે પરંતુ બાળકોને કાવ્યને વાંચી પણ શકાય તેનું જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતે રચેલી કવિતાઓને વાંચી પણ શકાય છે.
બાળકોમાં ગુજરાતી ભાષા અને એમાંય ખાસ કવિતા પ્રત્યે રસ રુચી વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 3 થી 8 ના 35 જેટલાં બાળકો અને શાળાના શિક્ષકોએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પોતાની મનપસંદ કવિતાઓનું પઠન કર્યું હતું, ઘણા બાળકો અને શિક્ષકો સ્વ – રચિત કાવ્યો પણ રજૂ કર્યા. શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ બારૈયાના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો
અને તેમના દ્વારા બાળકોને કાવ્યના વિવિધ પ્રકારો તેમજ ગુજરાતના ખુબ જાણીતા એવા કવિઓ વિષે માહિતી આપવામાં આવી હતી, બાળકોના કાવ્ય પઠનનું અલગ અલગ નિર્ણાયકો દ્વારા કાવ્ય પસંદગી, કાવ્યનું લયબદ્ધ આરોહ અવરોહ સાથે વાંચન અને ભાષા શુદ્ધિને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરવામાં આવેલ. સારું કાવ્ય પઠન રજૂ કરનાર બાળકોને શાળા પરિવાર વતી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.