Bhavnagar

ભાવનગર માટે ગૌરવવંતી ક્ષણો ; કલાપંથના સંચાલક કુશલ દિક્ષિતનું રાજ્યપાલના હસ્તે સન્માન

Published

on

કુવાડિયા

ભાવનગર કલાપથ સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિતનું મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજી દ્વારા સન્માન કરાયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત શીર્ષક તળે તારીખ ૨૦-૬-૨૩ને મંગળવારનાં રોજ રમત-ગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યનાં આદરણિય મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનાં અધ્યક્ષસ્થાને બંગાળ રાજ્યનાં સ્થાપનાદિને રાજ્યભવન ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી ભાવેણાની સુપ્રસિદ્ધ ક્લાસંસ્થા કલાપથનાં સંચાલક કુશલ દીક્ષિતને સોંપવામાં આવી હતી બંગાળ અને ગુજરાતના કલાકારોને સાથે રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમની અદભુત સફળતાથી ખુશખુશાલ થયેલા રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ કુશલ દીક્ષિતનનું પીઠ થાબડી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જે ભાવનગર માટે ગૌરવપ્રદ ક્ષણો છે

Exit mobile version