Sihor
સિહોરના વળાવડ ગામે સાર્વજનિક પ્લોટમાં બે શખ્સોનો કબજો – મામલો પોલીસમાં
પવાર
- ગ્રામપંચાયત માલિકીના 200 વારના પ્લોટમાં ભીખા સોદરવા, અને મનજી મકવાણા નામના બે શખ્સોએ કબજો વાળી લીધો, વળાવડ ગામના લોકો પોલીસ મથકે પોહચ્યા, લોકોએ કહ્યું આ બન્ને માથાભારે છે, તત્કાલ કાર્યવાહી કરો
સિહોરના વળાવડ ગામેથી જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે, ભીખા સોદરવા, અને મનજી મકવાણા નામના બે શખ્સો સામે પોલીસમાં રજુઆત થઈ છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. વળાવડ ગામનું એક પ્રતિનિધિ મંડળ આજે સિહોરના પોલીસ મથકે પોહચ્યું હતું.
ભીખા સોદરવા, અને મનજી મકવાણા નામના બે ઈસમોએ સાર્વજનિક પ્લોટમાં કબજો કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની રજુઆતનો મામલો પોલીસ સુધી પોહચ્યો છે. સિહોર વળાવડ ગામે આવેલ પાલનપીરના ઓટા પાસે જ્યાં દલિત વસ્તી વધુ રહે છે જ્યાં તમામ વસાહત માટે એક સાર્વજનિક પ્લોટ આવેલો છે જ્યાં ગામના ભીખા સોદરવા, અને મનજી મકવાણા નામના બે શખ્સોએ કબજો કરી લીધો છે અગાઉ ગામના લોકોએ સાર્વજનિક પ્લોટ ખાલી કરવા માટે વિન્નતી પણ કરી છે છતાં આ બન્ને શખ્સો ધમકીની ભાષા વાપરતા હોવાનો આરોપ લોકોએ કર્યો છે લોકોનો આરોપ એવો પણ છે કે દાદાગીરીથી સાર્વજનિક જમીનનો ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે.
બન્ને માથાાભારે જનની સ્વભાવના લોકો હોવાથી પોતે પોતાની દાદાગીરી અને જોહુકમીથી ગ્રામ પંચાયતની માલીકીની સાર્વજનિક જગ્યામાં ગેરકાયદેસર દબાણ કથા અટકાવવાની આવશ્કયતા છે સાર્વજનિક જમીન પર કબજો કરવો તે ગુન્હો છે અને આ દબાણ અટકાવવાનું તાત્કાલીક જરૂરીયાતવાળુ અને ન્યાયના હીતનું હોય ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ જલ્દીથી અટકે તે માટે કાયદેસર કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી પોલીસ મથકે બન્ને શખ્સો વિરોધ રજુઆત કરી છે