Gujarat
બાળ મજુરી થી લાખો-કરોડો બાળકોનું બાળપણ છીનવાયું
બરફવાળા
આજે “બાળ મજુરી વિરોધ દિવસ”
વર્ષ 2002 માં બાળ મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ બાળ મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનુની કરવામાં આવ્યું હતું, ‘બાળ મજુરી’ એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું બાળપણ છીનવાઇ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત થચા પહેલા બાળ મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે પણ ચડી જતા હોય છે. ભણવાની ઉંમરે બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી, જોખમી ઔધોગિક કામોમાં લાગી જતાં હોય છે.
ખેતીકામ, ગૃહઉધોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ ટાયિટિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે.. “બાળ મજુરી” અટકાવવા માટે અનેક નીતિ નિયમો બનાવવમાં આવ્યા છે, પણ હજુ સુધી દેશમાં બાળમજૂરી નાબુત થઇ શકી નથી. બાળ મજૂરી વિરોધ દિવસ એ તા ઔપચારિક્તા ન રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે. ‘બાળ મજૂરીને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, ‘બાળ મજૂરી’ વિરોધનાં કાયદાઓ વધુ કડક બનાવવા જોઈએ જેથી આ બાળમજૂરીનો વ્યવસાય ખતમ થઇ શકે. બાળકોનાં સારા ઉત્તમ ભવિષ્ય માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ એટલું જ નહીં શિક્ષણ નાનામાં નાના વર્ગનાં લોકોનાં બાળકો સુધી પહોંચે તેવા પ્રયાસો સતત કરવા જોઈએ. જેથી લોકોમાં જાગૃતિ આવશે.