Bhavnagar
લોકભારતી મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય શિબિર યોજાઇ
કૌશિક શીશાંગીયા
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના બી.આર.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ત્રિદિવસીય “બાલવાડી શિબિર” તા.૩૧/૩/૨૦૨૩ થી ૨/૪/૨૦૨૩ દરમિયાન યોજાઈ.
આ શિબિરના ભાગરૂપે ૭૧ વિદ્યાર્થીઓ અને ૩ કાર્યકરો શ્રી પુજાભાઈ મકવાણા,શ્રી યોગેશભાઈ ત્રિવેદી અને શ્રી વિશાલભાઈ જોષીની સહભાગિતા હેઠળ પ્રથમ દિવસે લોકભારતી પરિવારના બાળકો દ્વારા ઉદ્દઘાટન કરીને વિદ્યાર્થીઓ ગઢુલા, લંગાળા અને પરવાળા ગામની પ્રાથમિક શાળામાં જઈને સંમેલન, રમત-ગમત, અભિનય ગીતો અને બાળવાર્તાઓની રમઝટ બોલાવી હતી ત્યારબાદ લોકભારતીના પ્રાંગણ ઉપર દક્ષિણમૂર્તિ બાળમંદિર ભાવનગરના તજજ્ઞ બહેનો દ્વારા નાટ્ય તાલીમ, અને રાત્રે બાળ ફિલ્મ “હારૂન-અરુણ”નો શો યોજાયો હતો.
બીજા દિવસે સવારે ડૉ. દિકપાલસિંહ જાડેજા ઉર્ફે “હું છું વાર્તા કહેનારો” દ્વારા વાર્તા કથન-સર્જન તાલીમ, બપોરે કલા શિક્ષક શ્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ચિત્ર અને સર્જન કાર્યશાળા અને રાત્રે બાળ ફિલ્મ “આઇ એમ કલામ” નો શો યોજાયો.
ત્રીજા દિવસે સવારે શ્રી મહાવીરસિંહ ગોહિલ દ્વારા બાળ વાર્તા,સંગીત નૃત્ય સાથે અભિનયગીતોની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.
સમાપન કાર્યક્રમમાં શ્રી રામભાઈ પંચોળી અને નિયામકશ્રી હસમુખભાઈ દેવમુરારીએ વિદ્યાર્થીઓના અહેવાલ અને રજૂઆતને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
લોકસેવા મહાવિદ્યાલયના નિયામકશ્રી કાંતિભાઈ ગોઠી અને આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ સુથારના માર્ગદર્શન અને અધ્યાપકશ્રી પૂજાભાઈ મકવાણાના સંયોજન હેઠળ શિબિર યોજાઇ હતી.