Bhavnagar

ભાવનગરમાં યુવા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટને આવેદન આપી રજૂઆત કરી, યુવરાજસિંહને ન્યાય અપાવવા આમ આદમી મેદાને ઉતરી

Published

on

બરફવાળા

યુવરાજસિંહના સમર્થનમાં આવેદન

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ ભાવનગર શહેરમાં યુવા આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. ત્યારે પોતાની પાર્ટીના યુવા કાર્યકર યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મેદાનમાં આવી પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં રોજગાર લક્ષી પરીક્ષાની ગત પ્રવૃત્તિઓમાં જે પેપરફોડની સતત ઘટનાઓ બની અને રોજગાર લક્ષી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ જોડે જે અન્યાય થયો તેના વિરોધમાં સતત કાર્યરત આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર યુવરાજસિંહ જાડેજા પરીક્ષાલક્ષી પેપરકાંડ નો ભાંડો ફોડ્યો હતો. ભાંડા ફોડને સ્વીકારવાની જગ્યાએ સરકારે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહને હિટલરશાહી પદ્ધતિથી તેમની ધરપકડ કરી અને તેમની સાથે દમણ ગુજારવામાં આવી રહ્યો છે. આ દમણ એકલા યુવરાજસિંહ ઉપર નહીં, પરંતુ ગુજરાતના લાખો બેરોજગાર યુવાઓ યુવતીઓ પર છે.

In Bhavnagar, Yuva Aam Aadmi Party submitted a petition to the District Collector, Aam Aadmi came to the field to get justice for Yuvraj Singh.

તેમના રોજગાર અને ભવિષ્ય પર જે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આજે યુવરાજસિંહને ન્યાય અપાવવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ પરના કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે સમગ્ર કાંડની પોલીસની જગ્યાએ હાઇકોર્ટના નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશ અધ્યક્ષતામાં સીટની રચના કરી તપાસ કરવામાં આવે. તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્ર સહિતના તમામ યુવાનોની ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Exit mobile version