Sihor
માવઠાની અસર : સિહોર અને પંથકમાં આંબા દાડમ અને લીંબુ પાકના છોડોને વ્યાપક નુકશાન
દેવરાજ
ભારે પવનને કારણે ઉભા પાકનો સોથ વળી ગયો, ઉત્પાદન સાથે ગુણવત્તા બગડી જવાની ભીતી, સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ
હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો માવઠાને કારણે ઠેર ઠેર ખેતી પાકને નુકસાન થયું છે સરકાર દ્વારા માવઠાની આગાહી બાદ જ ખેડૂતોને પોતાના પાકની જાળવણી બાબતે અપીલ કરવામાં આવી હતી જોકે ખેતરમાં રહેલો ઉભો પાક કઈ રીતે ઢાંકવો તે સરકારે સમજાવ્યું હતું હાલમાં માવઠાને પગલે કેટલાક વિસ્તારોમાં ઉભા પાકને નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો દ્વારા વળતરની માંગ પણ કરવામાં આવી છે .રાજ્યમાં છેલ્લા બે દિવસથી પલટાયેલ હવામાનને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે
છેલ્લા બે દિવસ સિહોર તાલુકાના પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો વિજળીના કડાકા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ખેતરમાં મહામૂલા પાકને નુકસાન થયું હતું જેને કારણે ખેડૂતોને માથે પછેડી ઓઢી રડવાનો વારો આવ્યો છે અચાનક વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલા આંબા દાડમ અને લીંબુના પાકનો સોથ વળી ગયો છે નુકશાન થતાં ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી સ્થિતિ થઇ છે એકબાજુ ડુંગળી, કપાસ, બટાકા જેવા પાકના ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ આંબા દાડમ અને લીંબુના છોડોને નુકસાન થતાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ થયો છે આ નુકશાની ને લઈ ઉત્પાદન અડધું થઈ જશે અને ગુણવત્તા બગડી જતાં ભાવ પણ નહીં મળે તેવી ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોએ સિહોર પંથકના વિસ્તારોમાં નુકસાનનો સર્વે કરી સહાય ચુકવવા માટે માંગ કરી છે