Bhavnagar

ભાવનગર યુનિ.નું એકાઉન્ટનું પેપર કયાંથી-કોણે લીક કર્યુ? પોલીસમાં અરજી કરાઈ ; પરીક્ષા રદ્દ થશે કે નહીં?

Published

on

મિલન કુવાડિયા

યુનિ. દ્વારા ચાલતી તપાસ : યુવરાજસિંહે સોશ્યલ મીડિયામાં ફરેલા પેપરના તમામ પુરાવા સુપ્રત કર્યા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હાલમાં ચાલી રહેલી પરિક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયું છે. શનિવારે બપોરના સમયે લેવાયેલી બી કોમ સેમેસ્ટર-6નું પેપર ફૂટયાનો યુવરાજસિંહ દ્વારા દાવો કરતા એમ.કે.બી. યુનિ.માં દોડધામ મચી ગઇ હતી. યુનિ.ના પરિક્ષા નિયામક ઉમેશ રાવળે જણાવ્યું હતુ કે વિદ્યાર્થી નેતા દ્વારા આ પ્રકારનો આક્ષેપ કરાયો છે અને સોશિયલ મીડિયા પર પેપર લીક થઇ ગયાનો દાવો કરાયા બાદ યુનિ. કક્ષાએ તપાસશરૂ કરી છે.- યુનિવર્સિટીએ-ભાવનગર પોલીસમાં આ બાબતે તપાસ માટે અરજી પણ આપી હતી.દરમિયાનમાં યુવરાજસિંહે જણાવ્યું હતુ કે એમ.કે. બી. યુનિ. માં શનિવારે બી કોમ સેમેસ્ટ2-6નું પ્રશ્નપત્ર હતુ અને એકાઉન્ટ વિષય હતો આ પેપર શરૂ થવાનો સમય બપોરના 3.30નો હતો પણ તે પહેલા જ 3.12 કે તેની આસપાસના સમયગાળામાં સોશિયલ મીડિયામાં ફરતું થઇ ગયું હતું. સોશ્યલ મીડિયામાં પેપર વાયરલ થયા ના આક્ષેપો બાદ આ અંગે તપાસ કરવા માંગ કરાઇ છે. તા.1 શનિવારના રોજ બી.કોમ. સેમેસ્ટર-6માં ફાયનાન્સ એન્ડ એકાઉન્ટસ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.

From where and who leaked the account paper of Bhavnagar University? An application was made to the police; Will the exam be canceled or not?

બપોરે 3.30 કલાકે પરીક્ષા શરૂ થાય તે પહેલા ‘આપ’ના યુવા નેતા યુવરાજસિંહે બપોરે 3.1ર મિનિટે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હોવાની જાણ સરકારને કરી હતી. આ ઘટના બાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સતાવાર ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી. જોકે, હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી નથી. બી.કોમ. સેમેસ્ટર-6માં બપોરે 3.30 કલાકે એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પ્રશ્નપત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયું હતું. ‘આપ’ના યુવરાજસિંહ જાડેજા પાસે આ પેપર પહોંચતા જ તેણે ભાવનગર યુનિ.ની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હોવાની સતાવાર જાહેરાત કરી દીધી હતી. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા અને પરીક્ષામાં પુછવામાં આવેલા પ્રશ્નપત્રની સરખામણી કરતા બંને એક જ હોવાનું પ્રસ્થાિપત થયું હતું. પરીક્ષાના સમયગાળા પહેલા પ્રશ્નપત્ર વાયરલ થઇ ગયું હોવાથી તેને પેપર ફુટી ગયું હોવાનું ગણવું કે વાયરલ ગણાશે તેવો પ્રશ્નપત્ર તેઓએ ઉપસ્થિત કર્યો હતો. જોકે નિયમ પ્રમાણે આ પ્રકારની સ્થિતિમાં યુનિવર્સિટીએ આ પ્રકારની સ્થિતિમાં યુનિવર્સિટીએ જ પોલીસ ફરિયાદ કરવાની હોવાથી યુનિવર્સિટીના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થી નેતાએ પોતાની પાસે આવેલા તમામ પુરાવાઓ પણ યુનિ. અધિકારીઓને સુપ્રત કર્યા હતા. લાગતા વળગતાઓએ પોતાના મળતીયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારે પ્રશ્નપત્ર ફોડયુ હોવાની આશંકા પણ વ્યકત કરાઇ રહી છે. નિયમ પ્રમાણે આ પરીક્ષા રદ થવી જોઇએ પરંતુ હજુ સુધી સત્તાવાર કોઇ જાહેરાત કરાઇ નથી.

Advertisement

Exit mobile version