Sihor

હણોલ અને ચોરવડલા વચ્ચેની ગૌચર જમીનની માપણીને લઈ વિવાદ ; પોલીસનો ખડકલો

Published

on

પવાર

  • આજે માપણી અને ખુટા નાખવાની કામગીરી દરમિયાન તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોહચ્યા, ગૌચર જમીનના વિવાદને લઈ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત, માપણી અને ખૂટા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી

સિહોરના ચોરવડલા અને હણોલ વચ્ચેની સિમ વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં આજે માપણી અને ખુટા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ કામગીરી દરમિયાન જિલ્લા પોલીસના બંદોબસ્ત વચ્ચે થઈ હતી આશરે 1973માં હણોલની જમીન શેત્રુંજ્ય તળાવને લઈ ડૂબમાં ગઈ હતી સરકાર દ્વારા આ ગૌચર જમીન સિહોર તાલુકાના ચોરવડલા ગામને આશરે 450 વીઘા જમીન ફાળવવામાં આવી હતી.

dispute-over-measurement-of-gauchar-land-between-hanol-and-chorwadla-police-crackdown

પરંતુ આ જમીન સયુંકત રીતે ચોરવડલા ગ્રામ્ય વિસ્તાર વાળા દબાણ કરેલ હોય જે અંગે આશરે ત્રણ વર્ષ પહેલાં એટલે વર્ષ 2020 માં માપણી તેમજ DLR પણ કરેલ પરંતુ આ ગૌચર જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ થવા લાગેલ ચોરવડલા ગ્રામ્ય વિસ્તાર ના વાડી,ખેતર,મંદિર, વાડાઓ, સહિત દબાણો થવા અંગે હણોલ ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર પાલીતાણા તાલુકા પંચાયત ને ઉગ્ર રજૂઆત તેમજ સરકારશ્રી માં રજૂઆત ના અંતે તંત્ર દ્વારા ત્રણ થી ચાર વખત આ વિસ્તાર ની માપણી સમયે ચોરવડલા ગ્રામ પંચાયત સાથે માથાકૂટ થતી હતી

dispute-over-measurement-of-gauchar-land-between-hanol-and-chorwadla-police-crackdown

ત્યારે છેલ્લા ઘણા સમયથી આ વાદવિવાદ ના અંતે તંત્ર એક્શન માં આવતા પાલીતાણા તેમજ સિહોર તાલુકાના સયુંકત TDO તરીકે ફરજ બજાવતા સુરેશ ચૌધરી, ચાંપરાજ ભાઈ ઉલવા, સિહોર તેમજ પાલીતાણા મામલતદાર, શ્રી, સર્કલ અધિકારીઓ પાલીતાણા CPI ભાચકન, પીએસઆઇ રહેવર, સિહોર પીએસઆઇ બી.કે ગૌસ્વામી ,હાલ આ વિસ્તારમાં ચાલુ વરસાદમાં પણ તંત્ર પોતાની જવાબદારી ફરજ સાથે જિલ્લા ના તમામ તાલુકા પોલીસ સ્ટાફ,આરોગ્યવિભાગ, ફાયર બ્રિગેડ, સિટીસર્વે, સહિત ના ઓ ઉપસ્થિત રહી અને વિશાળ પોલીસ કાફલા સાથે હણોલ ની કાયદેસર ની ગોચર જમીન ખુલ્લી કરાવી અને તાત્કાલિક ધોરણે અદ્યતન સુવિધા સામગ્રી ઓસાથે ખુંટાઓ નાખવાની કામગીરી તેજ બની હતી…

dispute-over-measurement-of-gauchar-land-between-hanol-and-chorwadla-police-crackdown

સૂત્ર દ્વારા જાણવા મળેલ ચોરવડલા ગ્રામ્યજનો આ વિવાદ જમીન અંગે સ્ટે લેવા ગયા હોવાનું જાણવા મળેલ પરંતુ ત્યાં સુધી માં વિશાળ કર્મચારીઓ દ્વારા આ ખૂટાની કામગીરી સાંજના ચાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

Advertisement

Exit mobile version