Bhavnagar

મોંઘવારી સહિતના પ્રશ્ને નાગરિકો ભાજપથી ત્રાહિમામ : રેવતસિંહ ગોહિલ

Published

on

મિલન કુવાડિયા

  • આજે સિહોર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાશે, રાજ્યમાં ભાજપનું તાનાશાહ જેવું શાસન, પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલાના ભાવ વધારાની નીતિના કારણે જનતામાં ભાજપ સામે રોષ : રેવતસિંહ ગોહિલ

મોંઘવારી સહિતના પ્રશ્ને લોકો ભાજપથી ત્રાહિમામ છે તેવું ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલે જણાવ્યું હતું કાલે શુક્રવારે સિહોર ખાતે કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાવવાનું છે ત્યારે રેવતસિંહે શહેર અને તાલુકાના કોંગ્રેસી કાર્યકરો અને લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે રેવતસિંહે કહ્યું કે મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાના ભાવ વધારા વિરોધી નીતિના કારણે જનતામાં ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ, ગેસના બાટલાના, સીએનજીના દર વધારા, કોરોના સમયે જનતાને રાહત પહોંચાડવામાં નિષ્ફળતા, શિક્ષણના ફી વધારા સહિતના પ્રશ્નો બાબતે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ર૬ વર્ષના ભાજપાના શાસનને પરાજીત કરવાના મુડમાં છે

Citizens defect from BJP on issues including inflation: Revatsinh Gohil

ત્યારે આજે સિહોર શહેરનું મુખ્ય કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ગોહિલના હસ્તે તેમજ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ તથા પૂર્વ જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મેહુરભાઈ લવતુકા વેચાણ સંઘના પ્રમુખ જીવરાજભાઈ ગોધાણી તેમજ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દિલીપસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતીમાં રાખેલ છે તો સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, ઓબીસી સેલ, યુવક કોંગ્રેસ, તેમજ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા મિત્રો અને સિહોરના નગરજનોને સાંજે ૫ કલાકે રૈવતસિંહ ગોહિલનું મુખ્ય કાર્યાલય સિહોર મલય બંગલા સામે, ભરકાદેવી આઈસ્ક્રીમની બાજુમાં ભાવનગર રાજકોટ રોડ સિહોર ખાતે ઉપસ્થિત રહેવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવાયું છે

Exit mobile version