Bhavnagar

ભાજપનો ભવ્ય વિજય એ વિકાસ સાથે પ્રજાના ભરોસાનું પરિણામ : મુકેશભાઈ લંગાળિયા

Published

on

કુવાડિયા

  • ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા લંગાળીયા

વિધાનસભામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, એ અન્યોના અનેક પ્રકારના રાજકીય પ્રલોભનો સામે ખરા વિકાસ સાથે પ્રજાના ભરોસાનું પરિણામ છે, જે ગુજરાતના વિકાસ માટે બળ આપે છે તેમ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મતદારો પ્રત્યે આભારની લાગણી સાથે જણાવાયું છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ આજનું પરિણામ એ વિકાસ સાથે ભાજપ પ્રત્યે પ્રજાજનોના ભરોસાનું પરિણામ છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા આયોજનો અને વધુ નવીનતમ પરિણામલક્ષી પ્રયાસોને ગુજરાતના નાગરિકો મતદારો સમજી શક્યા છે તેમ ઉમેર્યું છે. ભાવનગર જિલ્લા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય એ અન્યોના અનેક પ્રકારના રાજકીય પ્રલોભનો સામે ખરા હિતેચ્છુ કાર્યકર્તાઓ સાથે તમામ મતદારોના સહિયારા યશની બાબત છે. ભાવનગર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિને વધુ વેગ મળશે તેમાં સૌનો સાથ અને સૌનો વિકાસ એ ભાજપની નેમ રહી છે, જેને વધુ બળ મળ્યું છે. શ્રી લંગાળિયાએ ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલ સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત રાષ્ટ્રીય અને સ્થાનિક નેતૃત્વના માર્ગદર્શન પ્રત્યે પણ લાગણી જણાવેલ છે. આ સાથે જ ચૂંટાઈને ધારાસભ્યો બનેલા સૌને અભિનંદન પાઠવી ભાવનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા માટે સૌ સાથે છે તેમ જણાવેલ છે.

Exit mobile version