Bhavnagar
ભાવનગરના ભડભીડ ગામે એક સાથે છ-છ અર્થીઓ ઉઠી : ઘરે-ઘરે શોક : સામુહિક અંતિમવિધિ
બરફવાળા
ભડભીડ ગામે એક સાથે છ અર્થી ઉઠી ગામ આખુ હિબકે ચડયું, ટ્રક અકસ્માતમાં સગા ભાઈ-બહેન સહિત છનાં મૃત્યુ થયા હતાં : શ્રમજીવી પરિવારોની રોજી પણ ગઈ :
વલ્લભીપુરમાં મેવાસા ગામ નજીક લીલુ કડબ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા આખોય ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રક તળે દબાઈ જવાના કારને એકજ ભદભિડ ગામના છ વ્યક્તિ ઓ નાં મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા છ વ્યકિતની અર્થી ઉઠી હતી અને અંતિમવિધી કરાઈ હતી ત્યારે ગામ આખુ હિબકે ચડયું હતું. અને ગામમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. ભડભીડ ગામે આજે સવારે એક સાથે છ વ્યકિતની અર્થી ઉઠી હતી અને અંતિમવિધી કરાઈ હતી ત્યારે ગામ આખુ હિબકે ચડયું હતું. અને ગામમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ છે.
ગઈકાલે બપોરે વલ્લભીપુરના મેવાસા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતાં ભડભીડ ગામના છ વ્યકિતઓના મોત નિપજયા હતા. જેમાં બે તો સગા ભાઈ-બહેન છે. આ ગોઝારા બનાવની વિગતો એવી છે કે ગઈકાલે બપોરે ભાવનગરનાં વલ્લભીપુર નજીક રતનપર મેવાસા ગામ નજીક ટ્રક નં. જીજે 04 એટી 9474 ગાડીનું ટાયર ફાટતા ગાડીના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી 10 ફુટ ઉંડા ખાડામાં ખાબકી હતી. આ ગાડીમાં ડ્રાઈવર સહિત 14 શ્રમીકો હતા. જેમાં છનાં ઘટનાસ્થળે મોત નિપજયા હતા. મૃતકોમાં ભાવનગરના ભડભીડ ગામના કવાભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.વ.45, સીતુભાઈ દાનાભાઈ ચૌહાણ ઉ.વ.50, અલ્પેશભાઈ સવસીભાઈ વેગડ ઉ.વ.22, નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ ઉ.વ.19 અને કોમલબેન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.16)નો સમાવેશ થાય છે. આ છએ મૃતકોના પીએમ કર્યા બાદ વતન ભડભીડ ગામે લાવવામાં આવ્યા હતા.
આજે સવારે છએ મૃતકોની અર્થી ઉઠી હતી. અને અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ગામમાં આ બનાવથી ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બનાવને પગલે રાજકીય, સામાજીક આગેવાનો ગામમાં દોડી આવ્યા હતા.