Bhavnagar
ભાવનગર ; ડુંગળીએ ધારાસભ્યોને એક કર્યા ; મુખ્યમંત્રીને દર્દભરી રજૂઆત
મિલન કુવાડિયા
- જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં આર્થિક મદદની માંગણી : ગોંડલના ધારાસભ્ય યાર્ડના ચેરમેન પણ જોડાયા : યોગ્ય નિર્ણયની ખાતરી
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. તેની સામે ભાવ સાવ તળિયે ગયા હોય અને તેના કારણે ખેડૂતો ઉપર દેવું થયું હોવાના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે તે માટે જિલ્લા ના તમામ ધારાસભ્યો એક થયા હતા. જિલ્લાના મહત્વના પ્રશ્ર્ને જિલ્લાના તમામ ધારાસભ્યો એક થયા હોય તેવો પ્રસંગ ભૂતકાળમાં બન્યો હોય તેવું ગોહિલવાડ ની જનતા ને ઓછું યાદ આવતું હશે. પરંતુ ડુંગળી એ ગોહિલવાડ ના ખેડૂતોને ભાવ ન મળતાં રડાવ્યા છે. જેને લઇ ભાવનગર જિલ્લા ના ધારાસભ્યો હવે ખેડૂતોની વ્હારે આવ્યા છે.
ખેડૂતોને જે ભાવ હાલ મળી રહ્યા છે તે બારદાન અને ટ્રાન્સપોર્ટેશન ના ખર્ચ પાછળ જ વપરાય જાય છે. ખેડૂતોની પોતાની મહેનત, ખાતર બિયારણ,ખેત મજૂરી ના રૂપિયા ડૂબી ગયા છેહવે ડુંગળી યાર્ડમાં વેચવા માટે લઈ જવી પણ પોસાય તેમ નથી.આથી ખેડૂતો પોતાના ખેતરમાં ઘેટા બકરા ડુંગળી ચરાવવા મૂકી દેછે. રોટોવેટર ફેરવવા લાગ્યા છે. આથી ગઇકાલે વિધાનસભા સત્ર ચાલુ હોય તે દરમિયાન જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોના હિતમાં નિર્ણય કરી ખેડૂતોના ચહેરાઓ પર હાસ્ય લાવવા અપીલ કરી હતી. શીવાભાઈ ગોહિલ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ સંવેદના દાખવી યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.