Bhavnagar

ડમીકાંડ બાદ હવે ડમી સ્કૂલોનો વેપલો : શિક્ષણ બોર્ડના બે સભ્યોએ જ પોલ ખોલી.. મુખ્યમંત્રી – શિક્ષણમંત્રીને પત્ર લખ્યો..

Published

on

બરફવાળા

કાગળ ઉપર જ શિક્ષકો અને કાગળ ઉપર જ બાળકો વિધાર્થીઓનું ભાવી ડામાડોળ કરવાનું ષડયંત્ર ખૂલ્લું કરવામાં આવે – જી અને નીટની પરીક્ષામાં વિધાર્થીઓ ફસાયા : વિધાર્થીઓ ૧૧ વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રવેશ તો લે છે પણ સ્કૂલે જતા નથી

રાજ્યમાં ડમીકાંડનો મામલો શાંત પડ્યો નથી ત્યાં હવે ડમી સ્કૂલોને લઈ મામલો ગરમાયો છે અને આ મામલે શિક્ષણ બોર્ડના બે સભ્યોએ જ ડમી સ્કૂલોને લઇ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે , આવી સ્કૂલો બાળકોનું ભાવી અંધકારમય બનાવી રહી છે અને આવી સ્કૂલોની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. વિધાર્થીઓ જી અને નીટની પરીક્ષામાં કસાયા છે અને ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ તો લે છે પણ ટ્યુશન ક્લાસીસમા જવાનું હોવાના કારણે તેઓ સ્કૂલે જતા નથી અને કાગળ ઉપર જ બધું ચાલે છે. રાજ્યમાં ડમીકાંડને લઇ મામલો ગરમાયો છે અને એક પછી એક ડમી ઉમેદવારો સકંજામાં આવી રહ્યા છે ત્યારે હવે ડમી સ્કૂલોને લઈ પણ મામલો ગરમાયો છે.

After the dummy scandal, now there is a problem with dummy schools: Only two members of the education board opened the polls.. Wrote a letter to the Chief Minister - Education Minister.

શિક્ષણ બોર્ડના બે સભ્યો પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીડોરને પત્ર લખ્યો છે. જેમાં લખ્યુ છે કે , ધોરણ -૧૦ પછી ધો .૧૧ વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓ પ્રવેશ તો લે છે પણ શાળામાં જતા નથી . જી અને નીટની પરીક્ષાને લઈ તેઓ ટ્યુશન ક્લાસીસને વધારે પ્રાધાન્ય આપે છે . જેના કારણે કાગળ ઉપર બાળકો અને કાગળ ઉપર જ વિધાર્થીઓ બતાવવામાં આવે છે. આવી ડમી સ્કૂલોના કારણે બાળકોનું ભાવિ પણ અંધકારમય બને છે ત્યારે આવી સ્કૂલોની તપાસ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે..

Advertisement

Exit mobile version