Bhavnagar
ભાવનગરની સમરસ કુમાર છાત્રાલયમાં ભોજનની ગુણવત્તા અંગે પગલાં લેવાયા
પવાર
ભોજનની અનિયમિતતા ન થાય તે માટે છાત્રોની ભોજનની કમિટીની રચના કરવામાં આવી
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી-ગાંધીનગર સંચાલિત સમરસ કુમાર છાત્રાલય-ભાવનગરમાં તા.31/03ના રોજ ભોજનની ગુણવત્તા પ્રશ્ર્ને છાત્રો અને વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત થતા તાત્કાલિત ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગરના વહીવટી અધિકારી તથા એજન્સીના માલિકનો સંપર્ક કરી વિદ્યાર્થી પરિષદ તથા છાત્રો સાથે તા.31/03/2023નાં રોજ મીટીંગ કરી પ્રશ્ર્નનો ઉકેલ લાવવામાં આવેલ છે. જે સબંધિત એજન્સીને દિન-4માં તાકીદ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અંતર્ગત એજન્સી દ્વારા રોટલી બનાવાનું મશીન આજ રોજ લાવેલ છે.
તેમજ ભોજનની અનિયમિતતા ન થાય તે માટે છાત્રોની બનાવેલ ભોજનની કમિટી તથા છાત્રાલય ખાતે અનુસુચિત જાતિ,વિકસતી જાતિના સંયુક્ત સ્ટાફની મદદથી દૈનિક ભોજનની ચકાસણી કરી અહેવાલ કરવા જણાવેલ છે. આ ઉપરાંત રસોડા વિભાગમાં ફ્લોરીન્ગમાં તૂટેલી વિટ્રીફાઈ લાદીનું કામ માર્ગ અને મકાન વિભાગ- ભાવનગર દ્વારા આજ રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ ભોજન પાર્ટીને કારણદર્શક નોટીસ આપી અગાઉ તાકીદ કરેલ છે. અને GEM પોર્ટલ પર INCIDENT GENER>ET કરી ભોજનની ગુણવત્તા અંગે પુનરાવર્તન થશે તો દિન-15માં બ્લેકલીસ્ટ કરવા તાકીદ કરેલ છે.