Bhavnagar

ભાવનગરમાં ભાજપનાં યુવા કાર્યકરનો ગળાફાંસો ખાઇ આપઘાત

Published

on

પવાર

પોતાની ઓફિસમાં જ ફાંસો ખાધો : સ્યુસાઇડ નોટમાં પોતાના ખરાબ દિવસો ચાલતા પગલુ ભર્યાનો ઉલ્લેખ

ભાવનગર શહેરના આશાસ્પદ યુવાને પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લેતા ચકચાર જાગી છે. પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના દેવુબાગ સાધના સોસાયટી ખાતે રહેતા કર્ણવ શિવાભાઇ વસોયા ઉ.વ.27 નામના યુવકે પોતાના ઘરેથી ઓફિસે જઈ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

A young BJP worker committed suicide by hanging himself in Bhavnagar

બનાવ સ્થળે થી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે જેમાં કર્ણવ વસોયાએ પોતાની સ્યુસ્યાઇડ નોટમાં તેના પિતાને તેની મમ્મીનું ધ્યાન રાખવા, તેમજ તેના માતા-પિતા, ભાઇ – ભાભી, કાકા-કાકી, બહેન તેમજ દાદા-દાદીને ખુબ પ્રેમ કરે છે અને તેના ખરાબ દિવસો ચાલતા હોય તેવું લખાણ કરેલ છે. મૃતક યુવાન ની ત્રણ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી ત્યારબાદ તૂટી ગઈ હતી. મૃતક યુવાન રંગ રસિયા રાસ ગરબા નામનું ગ્રુપ ચલાવતો હતો .અને શહેર ભાજપ યુવા મોરચાનો સક્રિય કાર્યકર્તા હતો. આ બનાવથી તેના પરિવારજનોમાં અને મિત્રોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Trending

Exit mobile version