Sihor
સિહોર ખાતે ડો.ભીમરાવ આંબેડકરનો 67મો મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી
પવાર
સિહોર ખાતે પશ્ચિમ ભારત રત્નથી સન્માનિત બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના 67માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ પદાઅધિકારીઓએ શ્રદ્ધાંજલી અર્પી હતી. 6 ડિસેમ્બર 1956ના રોજ બાબા સાહેબનું અવસાન થયું હતું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ સંદર્ભે આજરોજ 06 ડિસેમ્બરને મંગળવારના રોજ સિહોર શહેર અને ગ્રામ્ય અનુસુચિત જાતિ ભાજપ મોરચા દ્વારા મેઇન બજાર ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાળી બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે દિપ્તીબેન રાઠોડ, ડાયાભાઇ રાઠોડ , બેચરભાઈ ગોહિલ, વિજયભાઈ પરમાર, મનસુખભાઇ પરમાર, અરજણભાઈ બોરીચા, હરેશભાઈ પરમાર, કિશોરભાઈ મકવાણા, દેવેન્દ્રભાઈ વાધેલા, કિશોરભાઈ બઢિયા, મોહનભાઈ સુમરા, માધાભાઇ મકવાણા, ધીરૂભાઇ રાઠોડ, દિનેશભાઇ સોસા સાહિતનાઓએ ઉપસ્થિત રહી બાબાસાહેબને શ્રદ્ધાંજલી અર્પી હતી