Sihor

સિહોર ખાતે શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસ ઉજવાયો

Published

on

  • સિહોર ખાતે આ મહોત્સવ પ્રસંગે શોભાયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ સહિતના આયોજન થયા

સિહોર શહેર રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસની ઉજવણીનું આયોજન થયું હતું જેમાં સંતો મહંતો અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રવિવારે શરદ પૂર્ણિમાંના પવિત્ર દિવસે સિહોર શહેર રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસ તરીકે ઉજવાયો છે જેમાં શોભાયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત સમગ્ર મહોત્સવ વણકર સમાજની વાડી આંબેડકર નગર સિહોર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ શ્રી કલ્યાણદાસ બાપુ અને શ્રી બાબુરામ મહારાજ ખાસ હાજરી આપી હતી

Sri Maharishi Valmiki Manifestation Day was celebrated at Sihore

કાર્યક્રમમાં મુખ્ય અતિથી માનનીય મેયરશ્રી કિતીઁબેન, નાનજીભાઈ વાળોદરા, મહેશભાઈ ઝાપડીયા, ડાયાભાઇ રાઠોડ, મિલનભાઈ કુવાડિયા, હરેશભાઈ સરધારા, કેશુભાઈ સોલંકી, માવજીભાઈ મકવાણા, દિલબાગ ટાંક, વિરસતપાલ વેદ, હરપાલસિહ, પ્રદિપસિહ, અશોકભાઈ ચૌહાણ, દિનેશભાઈ વાલ્મીકિ, સન્નીભાઈ વાલ્મિકી, અમિતકુમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મહોત્સવને સફળ બનાવવા અશોકભાઈ ચૌહાણ, વિપુલભાઈ હાવળીયા, જીવરાજભાઈ વાધેલા, હર્ષદભાઈ ગોહિલ, રાકેશભાઈ મકવાણા, જયેશભાઈ વાધેલા, નયનભાઈ પરમાર, કુમાર મામા સહિતના ભારે જહેમત ઉઠાવી હતી

Exit mobile version