Bhavnagar

વલ્લભીપુરના મુળધરાઈ પાસેથી ગેરકાયદે 6 પશુ ભરેલા 2 પીકઅપ વાહન ઝડપાયા

Published

on

પવાર

  • ગૌરક્ષકોએ પીકઅપ વાહન પકડતા પોલીસ સ્થળ પર દોડી ગઈ, રાજસ્થાનના અજમેર જિલ્લાના ત્રણ શખ્સ સામે પશુ સરક્ષણ અધિનિયમ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ

વલ્લભીપુર તાલુકાના કાનપર મુળધરાઈ રોડ પરથી ગૌરક્ષકોએ ગેરકાયદે પશુ ભરેલા બે પીકઅપ વાહન ઝડપી લીધા હતા તેથી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ૬ પશુને છોડાવવામાં આવ્યા હતા અને ૩ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, વલ્લભીપુર તાલુકાના કાનપર-મુળધરાઈ રોડથી ગઈકાલે મોડીરાત્રીના ૩.૩૦ કલાકના સમય આસપાસ બે પીકઅપ વાહન પસાર થતા હતા તેને ગૌરક્ષકોએ અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદે પશુ ભર્યા હતાં.

આ બાબતની વલ્લભીપુર પોલીસને જાણ કરવામાં આવી હતી તેથી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પીકઅપ વાહન નંબર આરજે ૧૪ જીપી ૧૭પપ અને આરજે ૩૬ જીએ ૭૬૮૪માં પરમીટ વગર ૬ ગાય તેમજ ૧ વાછરડુ હતાં. પોલીસે તપાસ કરી રાજસ્થાનના અજમેર જિલ્લાના શૈતાન નારાયણ જાટ, જીતરામ રામલાલ જાટ અને જીતુસિંહ દલ્લાસિંહ રાવત વગેરે શખ્સને ઝડપી લઈ પશુઓને મૂકત કરવામાં આવ્યા હતાં. પોલીસે બે પીકઅપ વાહન સહિતનો લાખો રૂપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બાબતે વલ્લભીપુર પોલીસ મથકના કર્મચારી મહેન્દ્રભાઈ જોરસંગભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદે રીતે પશુની હેરફેર વધી રહી હોય ત્યારે પોલીસ તંત્રએ કડક પગલા લેવા જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

Exit mobile version