Bhavnagar

ભાવનગરના યુવા કેરિયર એકેડેમી દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું

Published

on

દેવરાજ

ધોમધખતા ઉનાળામાં પક્ષીઓને પાણીની સમસ્યા, 500 પાણીના કુંડા શાળા, દુકાન, મકાનમાં રાખવા અપાયા, યુવા કેરિયર એકેડેમીની અનોખી પહેલ

ઉનાળા ભારેખમ તપ્યો છે. બપોરે તડકો દિન પ્રતિદિન વધતા મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા બજારો શેરીઓમાં સુનકાર ભાસી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં પંખીઓ જરૂરિયાત એવા પીવાના પાણી માટે અહિં તહીં વિચરતા જોવા મળે છે. ત્યારે ભાવનગર યુવા કેરિયર એકેડેમી દ્વારા પંખી પ્રેમીઓએ ચકલીની દુર્લભ થતી જાતિની ચિંતા કરતા પંખીઓનો કલરવ ફરી ગુંજતો થાય તેવા આશય થકી પંખી ઘર પંખીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે.

Yuva Career Academy of Bhavnagar distributed water jugs

ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. પક્ષીઓની તરસ છીપાવવા માટે યુવા કેરિયર એકેડમી (ભાવનગર સ્થિત) સતત પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે આજે યુવા કેરિયર એકેડમી દ્વારા પરબડી એટલે કે કુંડા વિતરણ કરાયા હતા જેમાં દર્શક ધાંધલા, તુષાર ગઢવી, અને કાર્તિક જાની વગેરે જોડાયા હતા જેમાં 500 કુંદાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Exit mobile version