Palitana
સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ ; સિહોરમાં શહેર અને તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવામાં આવ્યું
પવાર
પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના અધ્યક્ષ સ્થાન અને મામલતદાર જોગસિંહ દરબારની ઉપસ્થિતિમાં સિહોર ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું, 90 જેટલા પ્રશ્નો રજૂ થયા, મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થયું
જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલના વડાપ્રધાન તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા. 24 એપ્રિલ, 2003 ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.
રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાગત સપ્તાહ કાર્યક્રમ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સિહોર મામલતદાર કચેરી ખાતે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના અધ્યક્ષ સ્થાન અને મામલતદાર જોગસિંહ દરબારની ઉપસ્થિતિમાં શહેર અને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોને સ્થળ પર જ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ ડીવાયએસપી અને મામલતદાર દ્વારા સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતા.
અરજદારોના પ્રશ્નો સાંભળીને ભવિષ્યમાં આવી કોઈ ફરિયાદ આવે તો તેના પર તાત્કાલિક ધોરણે કામ કરવું તે અંગે સૂચના આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 90 જેટલા પ્રશ્નો રજુ થયેલ હતા જેમાં 40 જેટલા પ્રશ્નોના અરજદારોને રૂબરૂ સાંભળીને તથા અન્ય 50 પ્રશ્નો નો સબંધિત અધિકારી ઓ સાથે ચર્ચા કરી બધા 90 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો