Bhavnagar

શાકભાજી મોંઘાદાટ; હજુ એક મહિનો રાહત નહીં મળે : લોકલ આવક માત્ર 20 ટકા

Published

on

દેવરાજ

ટમેટાનો ભાવ રૂા.100 ને વટાવી ગયો : માલ બગાડના જોખમથી બેવડો માર, ટમેટા ઉપરાંત કોથમરી, મેથી, પાલક, મરચા, આદુના ભાવ એક માસમાં ડબલ કે અનેકગણા વધી ગયા: બેંગ્લોર-મહારાષ્ટ્ર જેવા રાજયોમાંથી માલ આવતો હોવાથી સમયસર પહોંચતો નથી

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર્વત્રીક વ્યાપક વરસાદને કારણે શાકભાજીનાં ભાવોમાં ભડકો થયો છે અને હજુ એકાદ મહિનો તેમાં રાહત મળવાની સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં 80 ટકા શાકભાજી બીજા ક્ષેત્રોમાંથી આવે છે અને બગાડનું પણ જોખમ રહેતુ હોવાથી ભાવ વધારાનો બેવડો માર સહન કરવો પડયો હોવાની સ્થિતિ છે.ટમેટા, મરચા,કોથમરી, મેથી, પાલક, આદુ જેવી ચીજોના ભાવો તો સતત સળગી રહ્યા હોય તેમ એકધારો ભાવ વધારો છે.

vegetables-are-expensive-one-more-month-will-not-get-relief-local-revenue-only-20-percent

સુત્રોએ કહ્યું કે ચોમાસાના પ્રારંભે શાકભાજીની લોકલ આવક ઘટી જવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે હવે સાર્વત્રીક વરસાદ થઈ ગયો છે.ત્યારે એક માસમાં નવુ શાકભાજી લોકલ સેન્ટરોમાંથી આવવા લાગશે અને ત્યારપછી ભાવમાં રાહત મળી શકે. આ સંજોગોમાં એક માસ હજુ ઉંચા ભાવ રહેવાની સંભાવના છે. સિહોરને લાગેવળગે છે ત્યાં સુધી 80 ટકા માલ ભાવનગર સહિત બીજા જીલ્લામાંથી જ આવે છે. આવકો અપેક્ષા કરતાં ઓછી રહેતી હોવાના કારણો ભાવવધારો વધુ તીવ્ર બની જાય છે.માલબગાડને કારણે ભાવમાં બેવડો માર પડતો હોવાની હાલત છે. મોટાભાગનાં શાકભાજીનાં પ્રતિકિલો ભાવ રૂા.100 ને આંબી જ ગયા છે.

Advertisement

Exit mobile version