Bhavnagar

ભાવનગર શહેરના હઝરત રોશન ઝમીર શેલારશાહ પીર દાદાનો ઉર્ષ ઉજવાયો

Published

on

બ્રિજેશ

ભાવનગર શહેરના હઝરત રોશન ઝમીર શેલારશાહ પીર દાદાનો ત્રિ-દીવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં અમીપરા મસ્જીદના પેશઇમામ હઝરત સૈયદ મોમીનબાપુ એ બે દિવસ ઇસ્લાહી તકરીર ફરમાવી હતી. તેમજ મીલાદ શરીફ, સંદલ શરીફ, સલાતો-સલામ અને સામુહિક દુવા તેમજ ન્યાઝ શરીફ, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉર્ષ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અમીપરા સિપાહી જમાત ના પ્રમુખ ઇમરાનભાઇ શેખ તથા ઉર્ષ કમીટી ના આગેવાનોએ સારી જહેમત ઉઠાવી હતી.

Trending

Exit mobile version