Gujarat
રવિવાર એ સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાતે આવ્યા હતા
કુવાડિયા
ગુજરાતની પહેલી એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં નિર્માણ પામી રહી છે ત્યારે તેનું કામ અંતિમ તબકકામાં હોય કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતમાં વધારો થઇ રહ્યો હતો. સંભવત: ઓકટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એઇમ્સનું ઉદઘાટન કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને તંત્રવાહકો દ્વારા નિર્માણ કાર્યમાં ઝડપ લાવવામાં આવી રહી છે ત્યારે રવિવાર એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા એઇમ્સની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું હતું.
સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે માંડવીયાની આ મુલાકાત રૂટીન હોવાનું કહેવાય રહ્યું હતું. જોકે એઇમ્સનું કામ કેવી ગતિએ ચાલી રહ્યું છે તે ઉપરાંત હજુ કામગીરી કેટલી બાકી છે અને શા માટે બાકી છે તે સહિતની સમીક્ષા પણ તેઓ એઇમ્સના અધિકારીઓ સાથે કરશે. આ પહેલા મનસુખભાઇ માંડવીયાએ 12 ફેબ્રુઆરીએ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યારે ઓકટોબર માસ સુધીમાં એઇમ્સનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો હતો. ત્યારે આ આદેશનું પાલન થઇ રહ્યું છે કે નહીં તેની પણ સમીક્ષા રવિવારની બેઠકમાં કરવામાં આવ્યું હતું.