Sihor

સિહોરના ઝરીયા ગામે પ્રકૃતિ પ્રેમી યુવા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

Published

on

પવાર

સિહોરના તાલુકાના ઝરીયા ગામે પ્રકૃતિ પ્રેમી યુવાવર્ગ ટીમ (ગામમાં રહેતા અને ગામ બહાર રહેતા) લોકોના સહયોગથી આજે એક પ્રકૃતિનું કામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, આ કાર્યને પરિપૂર્ણ કરવા ગામના લોકોએ સ્વેચ્છીક ફાળાનું યોગદાન કરેલ છે.

Tree plantation was done by Prakriti Premi Yuva Group in Zaria village of Sihore

હાલ એક શરૂઆતના ભાગરૂપે જરીયાથી સાંઢડા રોડ,પીપરડી રોડ,સરવેડી રોડ અને ગામના પ્રગટેશ્વર મહાદેવ તળાવના તટ કિનારે મળીને કુલ 250 જેટલા વૃક્ષોનું પાંજરા સાથે રોપણ કરવામાં આવ્યુ વૃક્ષોમાં અલગ અલગ 20 પ્રકારના વૃક્ષ રોપવામાં આવ્યા ગામની સર્વ યુવા ટીમ દ્વારા ખૂબ જ હોશ થી આ કાર્યમાં સેવા કરવામાં આવી, અને ભુલાતું ન હોય તો ગામના “બાળ છોરુ” એ પણ ખૂબ જ આનંદથી આ કાર્યમાં ભાગ લીધો છે.

Tree plantation was done by Prakriti Premi Yuva Group in Zaria village of Sihore

પ્રગટેશ્વર મહાદેવ પર્યાવરણ ટીમ દ્વારા આ વૃક્ષોને ત્રણ થી ચાર વર્ષ સુધી ઉછેરવા માટે ની કાળજી રાખવાની કામગીરી સોંપવામાં આવી હતી

Advertisement

Exit mobile version