Sihor
પ્રેમલગ્નનો કરૂણ અંજામ ; ૭ માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતિએ એસિડ પી આપઘાત કર્યો
દેવરાજ
સિહોરના ઢસાપા વિસ્તારમાં રહેતા યુવાન સાથે સંસાર શરૂ કરનાર યુવતિએ કોઈ કારણોસર ભરેલા પગલાંથી ચકચાર
સમાજમાં વર્ષોથી પસંદગીના પાત્રો સાથે પ્રેમ લગ્ન કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જોકે, ઘણી વાર આવા સંબંધોના કરૂણ અંજામ આવતા હોય છે. આજે સિહોર શહેરમાંથી આવી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં ૭ માસ પૂર્વે પ્રેમ લગ્ન કરનારી યુવતીએ એસિડ પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સિહોરના ઢસાપા વિસ્તારમાં રહેતા યુવાન સાથે ૭માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતિએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સિહોરના ઢસાપા વિસ્તારમાં રહેતા રવિ જાદવનામના યુવાન સાથે ૭માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર નિયતિબેન (ઉ. વ.૨૦)એ પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે સિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણથતા સિહોર પોલીસે દોડી જઈ મૃતક નિયતિબેનના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી તો હજુ ૭માસ પૂર્વેજ પ્રેમી સાથે સંસાર શરૂ કરનાર નિયતિબેને કરેલા આપઘતના પગલે સ્થાનિક વિસ્તારમાં આઘાત સાથે શોક છવાયો હતો. દરમ્યાનમાં મૃતકની પોસ્ટમોટર્મ વિધિ બાદ નિયતિબેનના પરિવારને મૃતદેહ સોંપવામાં આવતા પરિવારજનો દ્વારા અંતિમવિધિની તૈયારી હાથધરી હતી તો ૭માસના લગ્નજીવનમાં યુવતિએ આપઘાત વ્હોરી લીધો હોય પોલીસે અગમચેતીના ભાગ રૂપે સ્થાનિક વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો