Bhavnagar

કાલે તા.૧૪/૧૧ બપોરે ૧૨.૩૯ કલાકે ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર પરસોત્તમ સોલંકી ફોર્મ ભરશે

Published

on

મિલન કુવાડિયા

  • સવારે ૧૦:૦૦ કલાકે મીરાંકુંજ ભાવનગર ખાતે જાહેર સભા અને સંમેલન : દરેક કાર્યકરો શુભેચ્છકોને ઉપસ્‍થિત રહેવા પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશ સોલંકીનો અનુરોધ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તથા ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાજીના વડપણ હેઠળ દેશના વધુને વધુ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્‍વવાળી સરકારો કાર્યરત છે ત્‍યારે ગુજરાત માં યોજાનાર વિધાનસભાનીચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થાય તે માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વવાળી ભાજપા સરકારે કરેલા વિકાસ કાર્યોને આગળ ધપાવવા ફરી ગુજરાતની જનતા તલપાપડ બની છે. ભાવનગર જિલ્લાની સાતેય વિધાનસભા જેમાં ૧૦૩માં પરસોત્તમભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે ત્‍યારે આવતીકાલે તા.૧૪ના સોમવારે સવારે ૧૦:૦૦ કલાકે શહેરના મીરાંકુંજ ખાતે જાહેર સભા સંમેલન યોજાયા બાદ પોતપોતાના ઉમેદવારી પત્રક રજુ કરશે તો તમામ શ્રેણીના કાર્યકર્તાઓ શુભેચ્છકોએ સમયસર ઉપસ્‍થિત રહેવા પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશ સોલંકીએ જાહેર અનુરોધ કરેલ છે.

Exit mobile version