Sihor

લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો ; જયદીપસિંહ ગોહિલ

Published

on

પવાર – બુધેલીયા

  • રાહુલને રાહત કોંગ્રેસના કાર્યકરો ગેલમાં ; સુપ્રિમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધી કેસમાં સ્ટે આપવામાં આવતા સિહોર કોંગ્રેસ દ્વારા આતશબાજી કરીને વિજયોત્સવ ઉજવ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સભ્ય પદ રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા સિહોર કોંગ્રેસના કાર્યકરોએ આતશબાજી યોજી વિજયોત્સવ ઉજવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં સેશન કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમા કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે પણ રાહત ન આપતા આખરે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જે મામલે આજે સુપ્રિમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અંનતરીમ રાહત આપી છે. રાહુલ ગાંધી પર ફટકારેલી સજા ઉપર સુપ્રિમ કોર્ટે સ્ટે આપતા સમગ્ર રાજ્યનાં કોંગ્રેસના કાર્યકરોમાં આંનદ જોવા મળ્યો હતો.

those-who-believe-in-democracy-and-judiciary-won-today-jaideep-singh-gohil

સિહોર શહેરમાં કોંગ્રેસ દ્વારા વડલાચોક ખાતે આજે સાંજના કાર્યકરોએ આતશબાજી યોજી વિજય ઉત્સવ મનાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપની કૂટનીતિથી રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રિમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો તે જ અસત્ય પર સત્યનો વિજય થયો છે. રાહુલજીને બોલતા અટકાવવા દેશભરમા ખોટા કેસ થયા હતા. નવા અંગ્રેજો સામે લાંબી લડાઈ ચાલી રહી છે. સુરતનો ચુકાદો અને ત્યારબાદ એક દિવસમાં તેમને સભ્ય પદ દૂર કરાયા હતા. રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ ઘરમાંથી પણ દૂર કરાયા હતા. પરંતુ આજે લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો છે.

Exit mobile version