Sihor

સિહોરનું સોનગઢ રંગાયું દેશભક્તિના રંગે, શહિદ પરિવારોનું ભવ્ય સન્માન

Published

on

પવાર

જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફટન્ટ શ્રી ઇંદ્રજીતસિંહ ગોહિલના પરીવારજનોનું સન્માન, મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત સોનગઢ ખાતે શીલાફલકમનુ અનાવરણ

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં વર્ષ ૧૯૮૭ મા ઓપરેશન દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફટન્ટ ઇંદ્રજીતસિંહ ગોહિલના પરિવારજનોનું આજે સિહોર તાલુકાના સોનગઢ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs

આ ઉપરાંત ઇંદ્રજીતસિંહ ગોહિલનું નામ શીલાફલકમ પર પણ આલેખવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં ઇંદ્રજીતસિંહ ગોહિલના પત્ની અરુણાબા ઇંદ્રજીતસિંહ ગોહિલે સન્માન સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત કર્નલ સ્વ. કિશોરસિંહ દાનુભા ગોહિલ વતી એમના પત્ની સિંધુસુતાબા કિશોરસિંહ ગોહિલનું તેમજ નિવૃત કર્નલ શ્રી જગદીશસિંહ ગોહિલ ઉપરાંત અન્ય માજી સૈનિકો, નિવૃત પોલીસ અધિકારી, કર્મચારીઓનું સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ વીર ફ્લાઇટ લેફટનન્ટ ઈન્દ્રજીતસિંહ દાનુભા ગોહિલના પરીવારજનો તથા તેમના સગાસંબધીઓ તથા પદાધીકારી તથા અધિકારીશ્રીઓ અને ગ્રામના આગેવાનો અને શાળાના બાળકો દ્વારા વસુધા વંદન અમૃત વાટીકામા વૃક્ષારોપણ, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યુ.

The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs
The Songgarh of Sihore painted in the colors of patriotism, a grand tribute to the families of the martyrs

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ દીલુભા ગોહિલ, મામલતદારશ્રી સિહોર જોગસિંહ દરબાર, દેસાઇ તાલુકા વિકાસ અધીકારી શ્રી નાઝનીનબેન, વિસ્તરણ અધીકારીશ્રી, ચાપરાજભાઇ ઉલ્વા, વિસ્તરણ અધીકારીશ્રી રેખાબેન ડાભી નાયબ મામલતદાર મેહસુલ શ્રી ભગીરથસિંહ પરમાર, મેડીકલ ઓફીસર પી.એચ.સી સોનગઢ મિલનભાઇ ઉપાધ્યાય કાર્યક્રમમાં ઉપસ્થીત રહયા હતા.

Advertisement

Exit mobile version