Sihor

સિહોરના અતિ ભંગાર રસ્તાના પ્રશ્ને તંત્રના અધિકારીઓ ધૃતરાષ્ટ્ર બન્યા ; બ્રિજરાજ સોલંકી

Published

on

બ્રિજેશ

તંત્રની લાપરવાહીથી ખાડાઓથી ગંભીર અકસ્માતનું જોખમ, ઓફિસ બેઠા જ વહીવટ કરે છે ઓફિસરો, આમ આદમી પાર્ટીએ ખાડાઓ બુર્યા, ભાજપ વિરોધી સૂત્રચાર

સિહોરમાં લાખો લોકો રોડના નબળા કામથી ઠેરઠેર પડેલા જોખમી ખાડા,જર્જરિત માર્ગોથી ત્રાહિમામ પોકારી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા વડલા ચોક આસપાસના માર્ગ પર પડેલા ખાડા જાતે બુરીને એવો રોષ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં અત્યંત ભંગાર રસ્તાના પ્રશ્ને તંત્રના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહ્યા છે.

The officials of the system became Dhritarashtra on the question of the very rough roads of Sihore; Brijraj Solanki

આજરોજ સિહોરના વડલાચોક આસપાસ આમ આદમી પાર્ટીના નેતાઓ,કાર્યકરોએ જાતે જ રસ્તા પરના જોખમી ખાડા બુર્યા હતા અને તંત્ર અને અધિકારીઓને લોકોની વેદના પ્રતિ જગાડવા પ્રયાસ કર્યો હતો. આપના બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે તંત્રના સત્તાધીશો ઓફિસ બેઠા વહીવટ કરે છે અને ભંગાર રસ્તા રિપેર થયા કે નહીં અને થયા તો તે કેવા થયા તે જાતે જોતા નથી અને જુએ તો પ્રશ્નનો નિકાલ કરતા નથી. ખાડાઓની મરમ્મત થઈ ગઈ તેવો દાવો કરાય છે પરંતુ આ મરમ્મતમાં કેવી વેઠ ઉતારાઈ છે તેની સ્થળ તપાસ કરાતી નથી. ભંગાર રસ્તાનું કારણ માત્ર વરસાદ નથી બલ્કે નબળી ગુણવત્તા છે.

The officials of the system became Dhritarashtra on the question of the very rough roads of Sihore; Brijraj Solanki

સિહોરના રોડ રસ્તાની હાલત પણ એટલી ખરાબ છે કે ત્યાંથી નીકળવું મૂશ્કેલ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી યુથવિંગ ના સ્વરાષ્ટ્ર જોન પ્રભારી હાર્દિક દોમડિયા,વિવેક જેઠવા,સિહોર શહેર પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય,દીપકભાઈ પડીયા પ્રદેશ મંત્રી અશોકભાઈ ગોહિલ,વિપુલભાઈ ચૌહાણ,પ્રકાશભાઈ રાજગોર,હિદાયત મેહતર યુથવિંગ બોટાદ પ્રભારી ધર્મરાજ કોટીલા,રાજકોટ યુથવિંગ પ્રભારી, ભગયેશભાઈ સંજય સોલંકી સહીતના કાર્યકરોએ ખાડા નગરી સિહોરમાં ખાડા બુરવામાં જહેમત ઉઠાવી હતી. અને તંત્ર તેમજ ભાજપ વિરોધી સુત્રોચાર કર્યા હતા.

Advertisement

Exit mobile version