Bhavnagar

ભાવનગર પાસના કન્વીનરે કર્યા કેસરીયા ; 40 લોકો સાથે ભાજપમાં જોડાયા

Published

on

બરફવાળા

  • ચૂંટણી પહેલા પાસમાં ભાગલા પડવાનું શરૂ ; ભાવનગરના પાસના કન્વીનર સહિતના નેતાઓએ ભગવો ધારણ કર્યો : નીતિન ઘેલાણી અને વિજય માંગુકિયા સહિતના ને ખેસ પહેરાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા નેતાઓ વરસાદમાં દેડકા નીકળે અને ઉછળ કૂદ કરે તેમ નેતાઓ પણ બહાર આવી ગયા છે. ત્યારે કેટલાક નેતાઓએ પક્ષ પલટા કર્યા અને કેટલાક સામજીક આગેવાનોએ રાજકીય પક્ષમાં જોડાણ કર્યું. ત્યારે આજરોજ પાટીદાર અનામત આંદોલનથી આગેવાન તરીકે ઉભરી આવેલા ભાવનગર પાસના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના અહેવાલ મળી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી જંગમાં જીત મેળવવા રાજકીય પક્ષો તોડજોડની રાજનીતી કરી રહ્યાં છે. એવામાં હવે રાજકીય આગેવાનો બાદ સામાજિક આગેવાનો પણ ચૂંટણી લાભ લેતા હોય તેમ જોવા મળે છે.

The convener of Bhavnagar passed Caesarea; Joined BJP with 40 people

જેમાં ભાવનગર પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના ભાવનગરના કન્વીનર નિતીન ઘેલાણી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. આજરોજ સુરત ખાતે નિતીન ઘેલાણીએ પોતાના 40 જેટલા સમર્થકો સાથે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયા કર્યા છે પાટીદાર અનામત આંદોલન સમિતીથી રાજનીતીમાં કોંગ્રેસ સાથે જોડાય હાર્દિક પટેલ હવે ભાજપની ટિકીટ પરથી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે હવે પાટીદાર અનામન આંદોલન સમિતી સાથે જોડાયેલા કન્વીનરોએ પણ ભાજપ તરફ ઝુકાવ્યું છે. આ સ્થિતીમાં પાટીદાર અનામન આંદોલન સમિતી સાથે જોડાયેલા કેટલાક લોકો નારાજ છે તો કેટલાક ભાજપમાં જવા માટે માર્ગ શોધી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નીતિન ઘેલાણી સાથે વિજય માંગુકિયા જેઓએ પણ કેસરિયા કર્યા છે વિજય માંગુકિયા મૂળ સિહોર નજીક આવેલ સુરકા ગામના રહેવાસી છે

Exit mobile version