Bhavnagar

ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી, પૂરતા ભાવો મળે તેવી સરકાર વ્યવસ્થા કરે ; શક્તિસિંહ

Published

on

મીલન કુવાડિયા

  • રાજ્યસભાના સાંસદ ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલે સરકારમાં ડુંગળીના ભાવોને લઈ રજૂઆત કરી, ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગઈ હોવાનું અહેસાસ થઈ રહ્યો છે ; શક્તિસિંહ

ભાવનગર જિલ્લાના ખેડૂતોને ડુંગળીના ભાવ નહિ મળતા સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકારને રજૂઆત કરી છે, ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ અને મહેનત ખેડૂત કરે છે હાલમાં ભાવનગર જીલ્લામાં ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુબ લાંબી કતારોમાં પરેશાની વેઠ્યા પછી જે ભાવ મળે છે તે માત્ર બે રૂપિયા કિલો જેવો ભાવ મળે છે અને પરિણામે ખેડૂતને પોતે કરેલી તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું અહેસાસ થાય છે.

the-condition-of-onion-ripening-farmers-is-dire-the-government-should-make-arrangements-to-get-adequate-prices-shaktisingh

રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી સરકારે ખેડૂતના ઘરમાં જયારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આ અંગેની તાત્કાલિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી શક્તિસિંહે કરી છે

Exit mobile version