National

સ્વરાજ્ય તો ઘણાં વર્ષો પહેલા આવ્યું, પણ સુરાજ્યની અનુભૂતિ છેલ્લા નવ વર્ષમાં થઈ – સાંસદ શ્રી ભારતીબેન શિયાળ

Published

on

કુવાડિયા

શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન સંદર્ભે ભાવનગરમાં યોજાઈ પત્રકાર પરિષદ

ભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન સંદર્ભે ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજાઈ ગઈ જેમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળે સ્થાનિક વિકાસ કાર્યોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે, સ્વરાજ્ય તો ઘણાં વર્ષો પહેલા આવ્યું, પણ સુરાજ્યની અનુભૂતિ છેલ્લા નવ વર્ષમાં થઈ છે. ભાવનગર ખાતે ભારતીય જનતા પક્ષ સંગઠન અંતર્ગત જિલ્લા પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા તથા શહેર પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ સાથે જિલ્લા તથા શહેરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ. સાંસદ અને ભાજપ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળે જન સંપર્ક અભિયાન અંગે વાત કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસન સાથે વૈશ્વિક કક્ષાએ ભારતના સ્થાન માટે ગૌરવભાવ વ્યક્ત કર્યો.

Swarajya came many years ago, but Surajya was realized in the last nine years - MP Shri Bhartiben Shayal

સ્થાનિક વિકાસ કાર્યોના ઉલ્લેખ સાથે જણાવ્યું કે, સ્વરાજ્ય તો ઘણાં વર્ષો પહેલા આવ્યું, પણ સુરાજ્યની અનુભૂતિ છેલ્લા નવ વર્ષમાં થઈ છે. આ ટૂંકા સમયમાં એક એક નાગરિક સુધી સુશાસનના ફળ પહોંચ્યા છે. તેઓએ કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશ મક્કમ રીતે સામનો કરી અન્ય દેશને પણ રસી આપી શકેલ છે, તાજેતરના વાવાઝોડામાં સરકાર અને સમાજની આગોતરી તૈયારીથી થયેલા બચાવ અને ઉલ્લેખ કર્યો. માળખાકીય સુવિધાની દરખાસ્તથી ઉપલબ્ધિ સુધીની સફળતા સાથે સ્ત્રી સશકિતકરણ, ગરીબ કલ્યાણ, સ્વચ્છ ભારત, જન ઔષધિ કેન્દ્ર, કૃષિ સન્માન નિધિ, આધાર ઓળખ પત્ર, પીવાના પાણી સહિતની અનેકવિધ સુખાકારી યોજનાઓ આ ટૂંકા ગાળામાં સફળ રીતે અમલી થઈ છે અને આ સિદ્ધિઓ વડે જ વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ અગ્રેસર કરી શકાયું છે. ભાવનગર ખાતે આ બેઠકમાં ધારાસભ્યો શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા શ્રી સેજલબેન પંડ્યા, ભાવનગર મહાનગપાલિકા અધ્યક્ષ શ્રી કીર્તિબાળા દાણિધારિયા અને જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ભરતસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાંસદ શ્રી ભારતીબેન શિયાળે પત્રકારો સાથે ભાવનગર વિસ્તારના કેટલાક પ્રશ્નો અને કાર્યોના વિલંબ બાબતે પણ સમિક્ષા કરી અને તેના ઉકેલમાં હાલની સકારાત્મક સ્થિતિ કાર્યવાહીની જાણકારી પણ આપી હતી. બેઠક સંચાલનમાં શ્રી હરેશભાઈ પરમાર રહ્યા હતા. અહી સંગઠનના હોદ્દેદાર અગ્રણીઓ શ્રી સી.પી.સરવૈયા, શ્રી પાર્થ ગોંડલિયા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી અભયસિંહ ચાવડા વગેરેની જહેમત રહી હતી. સંકલનમાં જિલ્લા ભાજપ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિત રહ્યા હતા.

Advertisement

Exit mobile version