Sihor

સિહોરમાં રખડતા શ્વાનો આતંક : બે મહિનામાં અસંખ્ય લોકોને બચકા ભર્યા : ફફડાટ

Published

on

પવાર

સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં રખડતા શ્વાનોનો ભારે આતંક ફેલાયો છે છેલ્લા બે મહિનામાં અસંખ્ય લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે જેને કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. શહેર તેમજ વિસ્તારમાં દિન-પ્રતિદિન કુતરાઓનો આતંક વધી રહ્યો છે.

Stray dogs terror in Sihore: Innumerable people killed in two months: Whispers

શહેરની ગલીઓ અને મહોલ્લાઓમાં જયાં જુઓ ત્યાં અડીંગા જોવા મળે છે શહેરમાં દિવસે ને દિવસે કુતરાનો આતંક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવા માટે ભય સાથે રખડતા કુતરાના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે છેલ્લા બે મહિનાની અંદર અસંખ્ય લોકોને કુતરાઓ કરડયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેથી તંત્ર દ્વારા સત્વરે લોકોને કરડતા કુતરાઓના ત્રાસમાંથી મુકિત અપાવે તેવી માંગ ઉઠાવી હતી.

Exit mobile version