Sihor
સિહોરમાં રખડતા શ્વાનો આતંક : બે મહિનામાં અસંખ્ય લોકોને બચકા ભર્યા : ફફડાટ
પવાર
સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં રખડતા શ્વાનોનો ભારે આતંક ફેલાયો છે છેલ્લા બે મહિનામાં અસંખ્ય લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે જેને કારણે લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. શહેર તેમજ વિસ્તારમાં દિન-પ્રતિદિન કુતરાઓનો આતંક વધી રહ્યો છે.
શહેરની ગલીઓ અને મહોલ્લાઓમાં જયાં જુઓ ત્યાં અડીંગા જોવા મળે છે શહેરમાં દિવસે ને દિવસે કુતરાનો આતંક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવા માટે ભય સાથે રખડતા કુતરાના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે છેલ્લા બે મહિનાની અંદર અસંખ્ય લોકોને કુતરાઓ કરડયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેથી તંત્ર દ્વારા સત્વરે લોકોને કરડતા કુતરાઓના ત્રાસમાંથી મુકિત અપાવે તેવી માંગ ઉઠાવી હતી.