Sihor

આજે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

Published

on

કુવાડિયા

  • સ્નેહ મિલન સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન, કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિ યશભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે, સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ ઉપસ્થિત રહેવા અનુરોધ

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આજે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલન સમારોહ તેમજ રક્તદાન કેમ્પ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં સિહોર ચેપ્ટર સાથે જોડાયેલા દરેક મેમ્બરે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને યુવા ઉદ્યોગપતિ યશભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં આજે સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન સાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે, નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે મળનાર આ સ્નેહમિલન કાર્યક્રમમાં બીઝનેસ ક્ષેત્રના અન્ય મહારથીઓ પણ ઉપસ્થિત રહેનાર છે

Sneh Milan program of Bhavnagar District Chamber of Commerce and Industries Sihore Chapter will be held today.

આજે શનિવારે સાંજે ૭ કલાકે મળનાર આ સ્નેહ મિલન અને રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં દિપકભાઈ ધોળકિયા, નિખિલભાઈ દવે, મનુભાઈ ચાવડા, અશરફભાઈ ચૌહાણ, મિલનભાઈ મકવાણા, અભયભાઈ હરસોરા ઉપસ્થિત રહેશે, સાથે અહદ એન્જીનીયરીંગ, હાઈટેક કાસ્ટિંગ, મહાશક્તિ એન્જીનીયરીંગ, વસંત ટ્રેડર્સ, એકવાંકીગ, ગોરન ફાર્મા, શારદા એન્જીનીયરીંગ, કંસારા મનહરલાલ જયંતિલાલ, દીપ સિક્યુરિટી સહિત સમારોહના સૌજન્ય છે, કાર્યક્રમની સાથે ખાસ રક્તદાન કરવા પણ સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે..

Exit mobile version