Sihor
સિહોરના કૃષ્ણપરા ગામે સ્મશાનગૃહમાં સફાઈના પાઠ ભણાવ્યા – બાળકો એ સફાઈ હાથ ધરી
પવાર
સિહોર તાલુકાના પ્રગતિશીલ ગામ કૃષ્ણપરામાં ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળાના સંકલન સાથે વિવિધ પ્રવૃત્તિ થાય છે.
અહી આચાર્ય મનસુખભાઈ સાસાણી અને શિક્ષકગણના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ સ્મશાનગૃહમાં સ્વચ્છતા અને સફાઈના પાઠ ભણ્યા હતા. સરપંચ હરિશંગભાઈ ગોહિલના નેતૃત્વમાં દાતા ગ્રામજનોના સહયોગ સાથે અહી સુવિધા અને સ્વચ્છતા માટે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે.