Sihor
સિહોરનું ગૌતમેશ્વર તળાવ બે વર્ષ બાદ પ્રથમ વખત ઓવરફ્લો, હાઈવે રોડ પર પાણી ફરી વળ્યાં
બ્રિજેશ દેવરાજ
- સમી સાંજે ગૌતમેંશ્વરના તમામ દરવાજા ખુલતા હાઇવે પર પાણી પાણી, વાહનોની કતારો લાગી, પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
સિહોર અને ઉપરવાસના ગામોમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવ બે વર્ષ બાદ પ્રથમ વખત ઓવરફ્લો થયું છે ગૌતમેશ્વર તળાવના 52 દરવાજા ઓટોમેટીક ખુલી જતાં ધસમતો પાણીનો પ્રવાહ હાઈવે રોડ પર બે ફૂટ જેટલો વહ્યો હતો. જેના કારણે ભાવનગર-રાજકોટ રોડને એકાદ કલાક સુધી બંધ કરવાની નોબત આવી હતી. બે વર્ષ બાદ પ્રથમ વખત ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું હતું.
ઉપરવાસના ગામોમાં સતત વરસાદ શરૂ રહેતા આજે ગુરૂવારે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું હતું. આજે સાંજના 6.30 કલાક આસપાસ ગૌતમેશ્વર તળાવના 52 ઓટોમેટીક દરવાજા ખુલી જતાં ગૌતમી નદી ગાંડીતુર બની હતી. ગૌતમી નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પરના પુલ પરથી વહેતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સરકારી તંત્ર એલર્ટમાં આવી ગયું હતું અને પોલીસે સુરક્ષાના ભાગરૂપે બંદોબસ્ત જાળવી આ રોડને એકાદ કલાક સુધી બંધ કર્યો હતો. ત્યારબાદ પુલ પરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.
- તમારી બેદરકારીના કારણે હજારો લોકોને ભોગવવું પડશે, સોમવારે અમે કરેલી ટકોરની નોંધ ન લીધી જેના કારણે અસંખ્ય દુકાનો મકાનો પાણી ઘુસ્યા
અમે સોમવારના દિવસે તંત્રને ટકોર કરી હતી કે ગૌતમેંશ્વર ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેથી પાણી પહેલા પાળ બંધાય તે જરૂરી છે. અમે પત્રકારનો ધર્મ નિભાવી તંત્ર સુધી વાત પોચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ તંત્રના અધિકારીઓની તાનાશાહી મનમાનીના કારણે કોઈ નોંધ ન લેવાય અને જેના કારણે આજે શહેરના અસંખ્ય મકાનો દુકાનોમાં પાણી ઘુસ્યા છે જેથી લોકોને હેરાનગતિનો પાર રહ્યો નથી. અમે સોમવારે કહ્યું હતું કે અધિક માસમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે મોટા ભાગના ડેમો અને જળાશય છલક સપાટી આંબી રહ્યા છે.
સિહોર એટલે છોટેકાશી કે જ્યાં ગૌતમી નદી પૌરાણિક ગૌતમેશ્વર મહાદેવ ના પટાંગણમાં થઈને વહેતી થાય છે એ નદી આગળ જતાં જાડી જાખરા અને ગંદકી થી ભરાઈ ગઈ છે. નદીમાં ઘોડાપુર આવશે અને જાડી જાખરા ને કચરા ની આડશ ને લઈને પાણીને આગળ જવાનો રસ્તો નહિ મળે તો નીચાણ વાળા વિસ્તારમાં ઘુસી છે અને અને તબાહી સર્જાશે. ત્યારે પાણી પહેલા પાળ કહેવતના રૂપે અમે કરેલી ટકોરમાં નગરપાલિકા તંત્ર અને અધિકારીઓએ આંખો મિચતા રહ્યા અને આજે સ્થિતિ એવી થઇ છે કેં હજારો લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. અસંખ્ય મકાનો, દુકાનો, ઘરમાં પાણી ઘુસ્યા છે. જે તંત્ર અને અધિકારીઓનું પાપ છે