Sihor
સિહોર રથયાત્રા કાઉન્ટ ડાઉન : ડીવાયએસપી મિહિર બારૈયા અને સ્ટાફે રથયાત્રા માર્ગે પગપાળા પેટ્રોલિંગ કર્યું
પવાર બુધેલીયા
રથયાત્રા રૂટ પર પોલીસનો રુઆબ, મુખ્ય બજારો સહિત વિસ્તારમાં ડીવાયએસપી પીઆઇ અને સ્ટાફ પગપાળા ફર્યા, મોડી રાત સુધી વાહન ચેકીંગ હાથ ધરાયુ, શહેરમાં આવતા-જતા શંકાસ્પદ વાહનો પર પોલીસની બાજનજર
સિહોર શહેરમાં આગામી દિવસોમાં રથયાત્રા યોજનાર છે. રથયાત્રાની સુરક્ષામાં કોઇ જ ચૂક રહી જાય નહીં તેના માટે પોલીસ અને તંત્ર દ્વારા ખાસ કવાયત કરવામાં આવી રહી છે. ડીવાયએસપી મિહિર બારૈયા અન્ય સ્ટાફે રથયાત્રા માર્ગે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું.
જ્યારે શહેર પોલીસ દ્વારા તમામ રીઢા ગુનેગારોની મુવમેન્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જ્યારે શહેરમાં આવતા જતા તમામ શંકાસ્પદ વાહનો પણ વોચ રાખવામાં આવી રહી છે. રથયાત્રા ટાણે વિવાદાસ્પદ પ્રવૃત્તિ કરનાર તત્ત્વોના રેકોર્ડ ચેક કરવાની કામગીરી પણ ચાલી રહી છે.
પોલીસ રથયાત્રા શાંતિપૂર્વ વાતાવરણમાં પૂર્ણ થાય તેની કવાયતમાં લાગી ગઇ છે. ડીવાયએસપી મિહિર બારૈયા અને પીઆઇ ભરવાડ તેમના સ્ટાફ સાથે ફુટ પેટ્રોલિંગ કરીને સ્થાનિક વિસ્તારની વિગતો મેળવી હતી.
તેમજ વાહન ચેકીંગ કામગીરીમાં ખુદ ડીવાયએસપી અને પીઆઇ જોડાયા હતા મોડી રાત સુધી વાહન ચેકીંગ કામગીરી ચાલી રહી હતી