Sihor

સિહોર – મુકેશ જાનીની ચિરવિદાય અસહ્ય : જાની પરિવારના આંસૂ લુછતા શહેરના અગ્રણીઓ

Published

on

બ્રિજેશ પવાર

મેરી મહેફિલ હી..મેરી દોલત હૈ, મુકેશ જાનીની યાદોમાં સ્વરાંજલી કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજાયો, રફી-મુકેશ-કિશોરનો સંગમ…જૂના ગીતો વરસ્યા, સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમ યોજી ખરા અર્થમાં મુકેશભાઈ જાનીને શ્રદ્ધાંજલિ પાઠવી

Sihore - Mukesh Jani's farewell is unbearable: Jani family's tears are wiped away by city leaders

ગઇકાલની રાત સિહોરમાં સૂરના સાનિધ્યમાં લપેટાઇ હતી. સિહોર નગરપાલિકાના નગરસેવક સ્થાનિક નેતા મુકેશ જાનીનું દુઃખદ નિધન થયું છે. ત્યારે જાની પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં શહેરના અગ્રણીઓ સહભાગી થયા હતા. મુકેશ જાનીની યાદોમાં ટાઉનહોલ ખાતે સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, અહિં ખાસ ઉપસ્થિત ભાજપના યુવા નેતા ધવલ દવે ઉંડા શોકની લાગણી સાથે જણાવેલ કે સ્‍વજનની કાયમી વિદાય આપણાને કરૂણ અને હદયદ્રાવક બનાવે છે.

Sihore - Mukesh Jani's farewell is unbearable: Jani family's tears are wiped away by city leaders

પરંતુ પરમ કૃપાળુ પરમાત્‍મા પાસે પામર માનવીનું કંઇ ચાલતુ નથી. ઇશ્વર ઇચ્‍છા બળવાન છે. મુકેશ જાની સિહોરનું ઘરેણું હતું. તેમજ સ્થાનિક કલાકારોએ મુકેશ જાનીને યાદ કરતા જણાવ્યું હતું કે રફી સાહેબનો આબેહુબ અવાજ ધરાવતા મુકેશભાઈ જાનીના અવાજમાં અને ગીતોમાં મીઠાસ ખૂબ ભરી હતી. અહીં ટાઉનહોલ ખાતે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

Sihore - Mukesh Jani's farewell is unbearable: Jani family's tears are wiped away by city leaders

જેમા ભારતીય હિન્દી ફિલ્મ જગતના સુનેરી કાળના મુકેશજી, કિશોરદા, રફિ સાહેબ તેમજ લતાજી- આશાજીના કંઠે ગવાયેલા સુનેરી ગીતોનો અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિક અનેક કલાકારોએ આ કાર્યક્રમમાં પોતાનો કંઠ પાથરી શ્રોત્રાઓને મંત્રમુગ્ધ કરી દિધા હતા. અને ખરા અર્થમાં મુકેશભાઈ જાનીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Advertisement

Exit mobile version