Sihor

સિહોર ; ભષ્ટાચારીઓના પાપે મોતના ખાડામાં રિક્ષાની પલ્ટી

Published

on

પવાર

પ્રાંત અધિકારીના આદેશોને પણ રોડ વિભાગ ગણકારતું નથી, હાઇવે પર અનેક મોતના ખાડાઓ, નિર્દોષોના માથે મોતનું તાંડવ ભમે છે

સિહોરના મુખ્ય હાઇવે બસ સ્ટેન્ડ પાસે આવેલ ખેતલા આપા ટી.સ્ટોલ આસપાસ ભયંકર મોતના ખાડાઓમાં આજે બપોરના સમયે એક ઓટો રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. સદનસીબ કોઈ જાનહાનિ થવા પામેલ નથી. પરતું સ્ટેટ હાઇવે ઓથોરિટી રોડ વિભાગ ની બેદરકારી અને નિષ્ક્રિયતા ને લઈ નિર્દોષના જીવ જોખમાય રહ્યા છે.

Sihor; The rickshaw overturned in the pit of death due to the sin of the corrupt

આ અંગે સિહોર પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા દ્વારા CRPC કલમ ૧૩૩ મુજબ નોટિસ ફટકારવા છતાં ઉચ્ચ અધિકારીઓ ને ઘોળી પી ગયું છે.તો આ અંગે તમામ રાજકીય પક્ષ ના નેતાઓ ચૂપ કેમ છે?? બેઠા બેઠા તમાસો જોયા કરે છે આ અંગે કેમ આંદોલન કે આવેદનપત્ર નથી પાઠવતા અને શહેર ના કહેવાતા જાગૃત નાગરિકો અને વાહન ચાલકો આ બાબતે માત્ર મીડિયા સમક્ષ ફરિયાદ કરે છે પણ રજૂઆત કરવા કે આંદોલન માં ભોજીયો ભાઈ ઊભા નથી રહેતા માત્ર ને માત્ર મીડિયા ના ખભે બંદૂક ફોડવા માં આવે છે પણ તંત્ર આ કુંભકર્ણ નિંદ્રામાં નગરજનો અને અમુક કહેવાતા રાજકીય પક્ષ ના ભ્રષ્ટાચારી નેતાઓ પણ આ લાભ લઈ રહ્યા છે… જાગો જનતા જાગો તંત્ર સામે આક્રોશ વ્યક્ત અવાજ ઉઠાવો..

Advertisement

Exit mobile version