Sihor
સિહોર તંત્ર એલર્ટ ; બિપરજોય વાવાઝોડા સામે તકેદારી રાખવા તંત્ર દ્વારા જનજાગૃતિ
પવાર
સંભવિત વાવાઝોડા સામે લોકોને સાવચેત રહેવા અપીલ, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડે તે અંગેની આગોતરી તૈયારી, મામલતદાર જોગસિંહ દરબાર રૂબરૂ અનેક વિસ્તારોમાં ફર્યા
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડા સંદર્ભે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અન્વયે સંભવિત વાવાઝોડા સામે તકેદારી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા માટે સિહોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
ખાસ કરીને સિહોરના નીચાણવાળા તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારોના નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સિહોર મામલતદાર જોગસિંહ દરબાર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓના કર્મચારીઓને એલર્ટ કરી લોકોને સાવચેત કરવા અને જરૂરી માહિતી આપવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે અંગેની આગોતરી તૈયારી કરી લેવા પણ જણાવી દેવામાં આવ્યું છે.


જરૂરી પૂર્વ તૈયારી કરવામાં આવી છે. કર્મચારીઓને જરૂરી પગલા તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે.