Sihor

સિહોર – શિવજી કૃપા, કરુણા અને કલ્યાણના દેવ છે.- સીતારામ બાપુ

Published

on

પવાર

ગોપાલ આશ્રમ દેવગાણામાં ભાગવત કથામાં શિવ વિવાહની દિવ્ય ઉજવણી, સંતો અને રાજકીય, સામાજીક અગ્રણીઓની રહેલી ઉપસ્થિતી

સિહોરના દેવગાણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં કપિલ જન્મ કથા બાદ શિવ વિવાહની દિવ્ય કથા વર્ણવતા પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે અપેક્ષામાંથી અશાંતિનો જન્મ થાય છે તેથી ઈશ્વર ભજન કરવું જરૂરી છે મંત્રથી મન અને યંત્રથી જળ ઉર્ધ્વગામી બને છે. કથા દરમિયાન નવધા ભક્તિનું વર્ણન કરતા સીતારામ બાપુએ ગોપાલ આશ્રમના પૂ. પુરુષોત્તમદાસ બાપુના જીવન વિશે જગન્નાથપુરીના શંકરાચાર્યજીએ વર્ણવેલી દિવ્ય વાતનું શ્રોતાઓને વર્ણન કર્યું હતું.

Sihor - Shivaji is the god of grace, compassion and welfare.- Sitaram Bapu

કથામાં કરમદીયાથી કમલેશ્વર બાપુ, સગાપરાની ધારથી લાલગીરી , પ્રાણેશ્વર મહાદેવથી ભગતબાપુ, દયાનંદ બાપૂ. ટીમાણાથી આત્માનંદ બાપુ તેમજ અગીયાળથી ભિલેશ્વર આશ્રમથી રામ ભારથી બાપુ ઉપસ્થિત રહેલ. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ, તળાજા યાર્ડના ચેરમેન ભીમજીભાઇ પંડ્યા, અને જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત, ગુજરાત પ્રદેશ ભાજપાના સહકારીતા સેલના સંયોજક અને સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત તથા સર્વોતમ ડેરીના એમડી હરિભાઈ જાેષી એ કથા શ્રવણનો લાભ લીધેલ. કથાની સેવામાં દિહોર સીતારામ મંડળ રામદેવપીર મંડળ તેમજ ગણેશ શાળા ટીમાણા વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી કૃષ્ણદાસ બાપુ અને ગોપાલ આશ્રમ સેવક મંડળે કથામાંથી રૂડું આયોજન કરેલ તેમ શરદ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Exit mobile version